અંબાજી ગબ્બર પર્વત પર માં અંબા ની અખંડ જ્યોત બનશે ગૌરવ્રતી..,

- Advertisement -
Share

થરાદ ના ગૌભક્ત દિનેશભાઈ રાયમલજી બારોટે ૫૧ લીટર દેશી કાંકરેજી ગાયનું ઘી ગબ્બર પર્વત પર માઁ અંબે ની અખંડ જ્યોત માટે અર્પણ કર્યું..

 

માં આધ શક્તિ અંબે માં નાં મૂળ હૃદય સ્થાન ગબ્બર પર માતાજી ની અખંડ જ્યોત હવે ગાય માતા ના શુદ્ધ ઘી થી જગ મગશે.

 

અંબાજી ગબ્બર પર્વત પર ચાલતી જગત જનની મા અંબા ની અખંડ જયોત એ જગત જનની મા અંબા ના ભક્તો માટે એક ભક્તિ ભાવ ની જ્યોત બનશે ભક્તો શ્રદ્ધા સાથે ઘી ચડાવી ને ધન્યતા અનુભવતા હોય છે પણ અમુક ભક્તો દ્વારા વિધિ ની જાણકારી નાં અભાવે ભૂલવશ અશુદ્ધ ઘી અથવા ભેંસ કે જર્સી નાં ઘી વાળું ડેરી નું શુદ્ધ પરંતુ અપિવિત્ર ઘી પણ માં ને અર્પણ કરતા હોય છે.

 

 

સંસ્કૃત માં ભેશ ને મહિષ કહેછે માતાજી તો મહિષા સુરમર્દની છે તો એવી ભેંસ નું અને જર્સી નામના વર્ણ સંકર પશુ નું ઘી માતાજી ની અખંડ જ્યોત માં ઉપયોગ થાય એના બદલે શુદ્ધ દેશી કાંકરેજી ગૌમાતા નું ઘી પ્રયોગ કરવા માં આવે એ માટે થરાદ નાં ગૌભકત દિનેશભાઈ રાયમલજી બારોટે ૫૧ લીટર દેશી કાંકરેજી ગૌમાતા નું ઘી માતાજી ની જ્યોત માટે અર્પણ કરવામાં આવ્યુ હતું

 

 

 

 

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!