દિયોદરના ધ્રાન્ડવડા ગામમાં એક જ કોમના બે જૂથો વચ્ચે મારામારી : બે વ્યક્તિઓ ઘાયલ

- Advertisement -
Share

દિયોદર તાલુકાના ધ્રાન્ડવડા ગામમાં સોમવારે એક જ કોમના બે જૂથો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થતાં રૌદ્દ સ્વરૂપ ધારણ કરતાં મારામારી સર્જાઇ હતી. જેમાં બે વ્યક્તિઓને માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે 108 વાન મારફતે દિયોદર રેફરલમાં ખસેડાયા હતા. આ ઘટનાની જાણ દિયોદર પોલીસને થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, દિયોદર તાલુકાના ધ્રાન્ડવડા ગામમાં મંદિર આવેલું છે. જેમાં મંદિરની બહાર સોમવારે એક જ કોમના બે જૂથો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઇ હતી. જેમાં બોલાચાલીમાં રૌદ્દ સ્વરૂપ ધારણ કરતાં એક જ કોમના બે જૂથો વચ્ચે મારામારી સર્જાતાં દોડધામ મચી ગઇ હતી. જેમાં ગામના રમેશભાઇ ઠાકોર અને જગશીભાઇ ઠાકોરને માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે 108 વાન મારફતે દિયોદર રેફરલમાં ખસેડાયા હતા. એક જ કોમના બે જૂથો વચ્ચે મારામારી સર્જાતાં ગામમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.

 

 

મારામારી સર્જાતાં ગામમાં અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ દિયોદર પોલીસને થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ અંગે દિયોદર પોલીસે મારામારીમાં ફરાર આરોપીઓની વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!