27 જૂનથી થિયેટર ખોલવા સરકારે મંજૂરી આપી, પણ અમદાવાદ મલ્ટીપ્લેક્સ એસોસિએશનનો જુલાઈથી શરૂ કરવાનો નિર્ણય

- Advertisement -
Share

કોરોનાની બીજી શરૂ થતાં સરકાર દ્વારા અનેક પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા. જેમાં બાગ બગીચા, થિયેટર, મોલ, હોટલ, રેસ્ટોરન્ટ સહિત બંધ રાખવા આદેશ આપ્યો હતો કે, એક બાદ એક તબક્કાવાર શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે હવે થિયેટર શરૂ કરવા પણ મંજૂરી આપી છે પરંતુ 2 મહિના કરતાં વધુ સમય થિયેટર બંધ રહ્યા હોવાથી અચાનક જ થિયેટર શરૂ કરી શકાય તેમ નથી. જેથી તમામ વ્યવસ્થા સાથે જુલાઈ મહિનામાં પ્રથમ સપ્તાહમાં થિયેટર શરૂ કરવામાં આવશે.

 

 

સરકાર દ્વારા 27 જુલાઈથી 50 ટકાની કેપેસીટી સાથે થિયેટર શરૂ કરવા મંજૂરી આપી છે. 2 મહિના કરતાં વધુ સમય થિયેટરો બંધ રહ્યા હતા. જેના કારણે મોટા ભાગના થિયેટરોમાં સ્ટાફ નથી, સાફ સફાઈ બાકી છે, ટેકનિકલ સમસ્યા છે. આ તમામ વ્યવસ્થા ફરીથી ઊભી કરીને થિયેટર શરૂ કરવામાં આવશે. તમામ સુવિધા ઊભી થાય તે બાદ જુલાઈના પ્રથમ સપ્તાહમાં થિયેટર તમામ ગાઈડ લાઇનના પાલન સાથે શરૂ કરવામાં આવશે. તેવો નિર્ણય મલ્ટીપ્લેક્સ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

 

 

મલ્ટી પ્લેક્સ એસોસિયેશનના મેમ્બર રાકેશ પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 2 મહિના બાદ સરકાર દ્વારા થિયેટર ફરીથી શરૂ કરવા મંજૂરી આપવા આવી છે. 27 જૂનથી થિયેટર શરૂ કરવાની પરવાનગી મળી છે પરંતુ હાલની પરિસ્થિતિમાં તાત્કાલિક કોઈ થિયેટર ખોલી શકાય તેમ નથી. અમે સોમવારે ગુજરાતી ફિલ્મ ડિસ્ટ્રિબ્યુર વંદન શાહ સાથે બેઠક કરીશું તે બાદ તમામ વ્યવસ્થા સાથે થિયેટર ખોલિશું. થિયેટર ખોલ્યા બાદ શરૂઆતના 2 અઠવાડિયા ગુજરાતી અને ઈંગ્લીશ ફિલ્મ જ ચાલુ કરવામાં આવશે. 15 જુલાઈ બાદ હિન્દી ફિલ્મ આવશે ત્યારે હિન્દી ફિલ્મ ચાલુ કરશે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!