ડીસામાં પ્રજા પણ ચાલી નેતાઓની રાહ પર : 300 જેટલી મહીલાઓએ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવી ઉજવણી કરી

- Advertisement -
Share

ગુજરાતીમાં એક કહેવત છે કે, “જેવા રાજા તેવી પ્રજા” મતલબ કે સામાન્ય પ્રજા તેમના લીડર(નેતાઓ)થી ઘણું બધું સીખતી હોય છે. તેઓ પોતે સન્માનિત હોદ્દા પર હોઈ પ્રજા તેમને જોઈ તેમની રાહે ચાલતી હોય છે.

 

 

ત્યારે હાલમાં ચાલી રહેલ ભયંકર કોરોના મહામારીમાં અનેક લોકોએ પોતાના સ્નેહીજનો ગુમાવ્યા છે, કેટલાય લોકોએ પોતાના વ્યાપાર-ધંધા તથા નોકરીઓ ગુમાવ્યા છે. તેવામાં સોસિયલ ડીસ્ટન્સ અને માસ્ક પહેરીને જ જાહેરમાં નીકળવું, વગેરે જેવા નિયમોનું પાલન કરવાનું હોય છે પરંતુ ના આવા બધા નિયમો તો ફક્ત સામાન્ય પ્રજા માટે હોઈ તેમ નેતાઓ બેફામ તેવા નિયમોનો ઉલંઘન કરતા ઘણી વાર જોવા મળે તેવામાં પ્રજા પણ તેમની પાસેથી હવે એવું જ સીખવા લાગી છે.

 

 

ત્યારે બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં આવેલ એક મંદિરમાં સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડાડતા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગુરૂવારે વટ સાવિત્રી વ્રતની ઉજવણી પ્રસંગે 300 જેટલી મહીલાઓનું ટોળુ ભેગું થતાં કોરોના નિયમોનો ભંગ કરાયો હતો અને માસ્ક કે સોશિયલ ડીસ્ટન્સ વગર વ્રતની ઉજવણી કરી હતી. જોકે, તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં નેતાઓએ કોરોનામાં માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હતા અને બેફામ રાજકીય મેળાવડા કરી નિયમોનું ઉલંઘન કરતા હતા તેવામાં જેથી વટ સાવિત્રી વ્રતની ઉજવણી નિમિત્તે નેતાઓની ટેવ 300થી વધુ મહીલાઓને શિખવી છે.

 

 

છેલ્લા સવા વર્ષથી કોરોના મહામારી ચાલી રહી હોવા છતાં પણ બનાસકાંઠા જીલ્લામાં અનેકો વાર અને અવાર-નવાર સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા અને માસ્ક વગર ટોળેટોળા થઇ જતાં હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. બનાસકાંઠા જીલ્લાના ડીસામાં આવેલ ત્રણ હનુમાન મંદિર ખાતે પણ ગુરૂવારે વટ સાવિત્રી વ્રતની ઉજવણી નિમિત્તે મહીલાઓના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા.

 

 

આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ત્રણ હનુમાન મંદિરના છે. જ્યાં 250થી 300 જેટલી મહીલાઓનું ટોળુ વ્રતની ઉજવણી કરી રહ્યું છે. એક પણ મહીલાના ચહેરા પર નથી તો માસ્ક કે નથી સોશિયલ ડીસ્ટન્સ અને ખીચોખીચ ટોળું થઇ આ મહીલાઓ વ્રતની ઉજવણી કરી રહી છે. આ દ્રશ્ય જોતા જાણે કોરોના નામની કોઇ બીમારી છે જ નહીં તેવી રીતે ઉજવણી કરાઇ રહી છે. પરંતુ આવા દૃશ્યો ગંભીર સાબિત થઇ શકે છે.

એક તરફ સરકાર કોરોના મહામારીની ત્રીજી લહેરને અટકાવવા માટે દિન-રાત પ્રયાસો કરી રહી છે. ત્યારે બીજી તરફ આવી બેદરકારી કરી લોકો જાણે આમંત્રણ આપી રહ્યા છે. હવે આ મામલે મંદિરના પૂજારી પણ સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા અંગે મહીલાઓને જ જવાબદાર ઠેરવી રહ્યા છે.

 

જોકે, હવે સામાન્ય પ્રજા પણ રાજકીય નેતાઓના રાહે ચાલી છે અને કોરોનાના બધા નિયમો ભૂલી ગયી છે. નેતાઓ પોતાનો હોદ્દાનો ઉપયોગ ધારણ કરી બેફામ બને છે. નેતાઓની દાદાગીરીથી પોલીસ પણ ડરીને કોઇ દંડ વસૂલ કરતી નથી. ત્યારે ડીસાના એક મંદિરમાં વટ સાવિત્રી વ્રત નિમિત્તે 300થી વધુ મહીલાઓનું ટોળું એકત્ર થયું હતું. જેમાં માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સના અભાવ જોવા મળ્યો હતો. ત્યારે નેતાઓની ટેવ વટ સાવિત્રી વ્રતની મહીલાઓએ જ શિખી છે. ત્યારે નેતાઓ જો માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ નિયમો રાખતાં નથી તો આમ પ્રજાએ પણ આ રીતે બેદરકારી દાખવવી જરૂરી છે..?

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!