બનાસકાંઠા જિલ્લામાં નવ નિયુકત જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરે એ ગુરુવારે વિધિવત રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળ્યાંના પ્રથમ દિવસે જ જિલ્લા પંચાયતના તમામ આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી.
ગુરુવારે જિલ્લા વિકાસ અધિકારીએ ઓચિંતા એસ.ટી.વર્કશોપની મુલાકાત લઇ ખાલી પડેલા ટાયરોનું નિરીક્ષણ કરીને ડેપો મેનેજર સાથે ચર્ચા કરી ચોમાસામાં વાહક જન્ય રોગચાળો ન ફેલાય તે માટે તકેદારી રાખવી સૂચના આપી હતી. અને જો ખાલી ટાયરોમાં વરસાદી પાણી જોવા મળશે તો આરોગ્ય અધિકારીઓ દ્વારા દંડ કરવામાં આવશે તેમ જણાવાયું હતું.
ત્યારબાદ જિલ્લાના વડા મથક પાલનપુર ખાતે અર્બન હેલ્થ સેન્ટર -1 લક્ષ્મીપુરા અને હનુમાન ટેકરી કોરોના રસીકરણ બુથની મુલાકાત લઇને રસીકરણ કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું. ઉપસ્થિત લાભાર્થીઓને પણ રસીકરણ માટે પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું.
આ મુલાકાત દરમ્યાન ઈ.ચા.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. ડી.બી.મહેતા, આર.સી.એચ.ઓ. ર્ડા. જે.એચ.હરીયાણી તથા એપેડેમીક મેડીકલ ઓફિસર ર્ડા.એન.કે.ગર્ગ સાથે હાજર રહ્યાં હતાં.
From – Banaskantha Update