ડીસામાં આઈ.એમ.એ ડોક્ટરો દ્વારા ડીસા પ્રાંતને આવેદનપત્ર અપાયું

- Advertisement -
Share

આજે સમગ્ર ભારતમાં ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા આજના દિવસે નેશનલ પ્રોટેસ્ટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત અવારનવાર ડોક્ટર પર અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા હુમલામાં નુકસાન થતું હોય છે ત્યારે સરકાર દ્વારા આવા અસામાજીક તત્વો પર કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથે ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

 

 

 

 

લોકોને બીમારીથી બચાવવા માટે સૌથી મહત્વની ભૂમિકા ડોક્ટરોની રહેતી હોય છે. આજે જે પ્રમાણે દિવસેને દિવસે ટેકનોલોજી વધી રહી છે તે પ્રમાણે લોકોની મોટી મોટી બીમારીઓની સારવાર ડોક્ટરો કરતા હોય છે પરંતુ આજે કેટલીક વાર એવી ઘટનાઓ બનતી હોય છે કે ડોક્ટરોએ દર્દીઓના વિરોધમાં આંદોલન કરવાની ફરજ પડી રહી છે આજે પણ ડોક્ટરોને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે.

પરંતુ કેટલીકવાર નજીવી બાબતમાં દર્દીઓ ડોક્ટરોની હોસ્પિટલો પર હુમલો કરતાં હોય છે અને જેના કારણે ડૉક્ટર અને હોસ્પિટલને ભારે નુકસાન થતું હોય છે એક તરફ ભારતીયોને બચાવવા માટે ડોક્ટરો 24 કલાક હોસ્પિટલ પર સેવા આપતા હોય છે ત્યારે વારંવાર બનતી આવી ઘટનાઓમાં ડોક્ટર અને ભારે હાલાકી ભોગવવી પડે છે.

 

 

પાલનપુરમાં આઇ.એમ.એ દ્વારા તબીબો પરના હુમલાઓને લઈ વિરોધ પ્રદર્શન

 

 

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજના દિવસને નેશનલ પ્રોટેસ્ટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેમાં ડૉક્ટરની વિરૃધ્ધમાં જે વાઇલન્સ થઈ રહ્યા છે અને અમુક કિસ્સામાં ડૉક્ટરને હેરાન પરેશાન કરવામાં આવે છે તેની વિરુદ્ધમાં આજ ના દિવસે આઈ.એમ.એ દ્વારા સમગ્ર ભારતમાં અલગ અલગ જગ્યાએ શાંતિ પૂર્વક તેના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ત્યારે ડીસા ખાતે પણ આઈ.એમ.એ પ્રેસિડેન્ટ ડૉ. હેતલ ગોહેલ અને વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. મોના ગાંધી સહિત ડીસાના અનેક ડોક્ટરો દ્વારા આજે પોતાની હોસ્પિટલ પર કાળા કપડાં ધારણ કરી નેશનલ પ્રોટેસ્ટ દિવસની ઉજવણી કરી હતી અને તમામ ડોકટરો એકત્રિત થઈ આજે ડીસા પ્રાંત કચેરી ખાતે એસ.ડી.એમને આવેદનપત્ર આપ્યું હતું.

 

 

 

 

છેલ્લા ઘણા સમયથી સમગ્ર ભારતભરમાં ડોક્ટરોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે આવા લોકો સામે સરકાર દ્વારા કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે પરંતુ તેનો અમલ કરવામાં આવતો નથી જેથી સરકાર દ્વારા આવા લોકો સામે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં હજુ પણ વારંવાર ડોક્ટરો પર બનતી ઘટનાઓ અટકી શકે તેમ છે.

આજે ડીસામાં પણ ડોક્ટરની વિરુદ્ધમાં થતા વાઇલન્સ અને ખોટી રીતે હેરાન ગતિ કરતા તત્વો સામે કડક કાયદાની અમલવારી થાય અને ડોક્ટરો પર અત્યાચાર થતો અટકાવવા માટેની અપીલ કરી હતી. કોરોનાવાયરસની મહામારીમાં પણ સૌથી વધુ કામગીરી ડોક્ટરોએ કરી હતી જે પ્રમાણે સમગ્ર ભારતભરમાં બીજી લહેર લોકો માટે ઘાતક નીવડી રહી હતી તેવા સમયે તમામ ડોક્ટરોએ પોતાના પરીવારની પરવા કર્યા વગર રાતદિવસ દર્દીઓને બચાવવા માટેના પ્રયત્નો કર્યા હતા જેના કારણે કોરોનાવાયરસની બીજી લહેરમાં અનેક દર્દીઓને નવું જીવન પણ મળ્યું હતું. ત્યારે ખરેખર અવારનવાર ડોક્ટરો પર બનતી ઘટનાઓને અટકાવવા માટે સરકાર દ્વારા કાયદાઓનું કડક અમલ કરવામાં આવે તેવી પ્રમુખે માંગ કરી હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!