કાંકરેજના નાથપુરા મુખ્ય નર્મદા કેનાલમાં પોલીસકર્મીએ ઝંપલાવ્યું

- Advertisement -
Share

કાંકરેજ તાલુકાના નાથપુરા મુખ્ય નર્મદા કેનાલમાં બુધવારે યુવકે ઝંપલાવતાં ચકચાર મચી ગઇ હતી. જેમાં યુવકનું એક્ટીવા કેનાલ નજીકથી મળી આવતાં અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. જ્યારે યુવક દિયોદર તાલુકાના સરદારપુરા ગામનો હોવાનું જાણવા મળ્યું છે. આ યુવકની લાશને કેનાલમાં સ્થાનિક તરવૈયા દ્વારા ભારે શોધખોળ હાથ ધરાઇ છે. આ ઘટનાની જાણ થરા પોલીસને કરાતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

 

આ અંગેની વિગત એવી છે કે, દિયોદર તાલુકાના સરદારપુરા ગામના વતની અને મહેસાણા એસ.પી. કચેરીમાં પોલીસકર્મી તરીકે નોકરી કરતાં હોવાનું જાણવા મળ્યું છે. જેમાં દિયોદર તાલુકાના નાથપુરા મુખ્ય નર્મદા કેનાલમાં બુધવારે યુવકે ઝંપલાવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

[google_ad]

 

જ્યારે યુવકનું એક્ટીવા કેનાલ નજીકથી મળી આવતાં અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. આ યુવકની લાશને કેનાલમાં સ્થાનિક તરવૈયા દ્વારા ભારે શોધખોળ હાથ ધરાઇ છે. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ બનાવની જાણ થરા પોલીસને કરાતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ યુવકે કયા કારણોસર નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!