અંબાજી-પાલનપુર હાઇવે પર ત્રિપલ અકસ્માતમાં વાહનોનો કચ્ચરધાણ નીકળ્યો : પિતા-પુત્રનું મોત
અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફીકજામના દૃશ્યો સર્જાયા
ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા
108 વાન મારફતે ઘાયલ વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
અંબાજી-પાલનપુર હાઇવે પર મંગળવારે મહીન્દ્રા સ્કોર્પિયો ગાડી, મારૂતિ અલ્ટો કાર અને ઇકો ગાડી વચ્ચે ત્રિપલ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મારૂતિ અલ્ટો કારમાં સવાર પિતા-પુત્રનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
જ્યારે 108 વાન મારફતે ઘાયલ વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવના પગલે હાઇવે પર ટ્રાફીકજામના દૃશ્યો સર્જાયા હતા. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
આ અકસ્માતની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં દિન-પ્રતિદિન ગોઝારા અકસ્માતોનો ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે અંબાજી-પાલનપુર હાઇવે પર મંગળવારે મહીન્દ્રા સ્કોર્પિયો ગાડી, મારૂતિ અલ્ટો કાર અને ઇકો ગાડી વચ્ચે ત્રિપલ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મારૂતિ અલ્ટો કારમાં સવાર પિતા-પુત્રનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
જ્યારે 108 વાન મારફતે ઘાયલ વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવના પગલે હાઇવે પર ટ્રાફીકજામના દૃશ્યો સર્જાયા હતા. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ત્રણેય વાહનોનો આગળના ભાગનો ખુરદો બોલી ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From –Banaskantha Update