પાટણ જીલ્લાના રાધનપુર પંથકમાં નર્મદા નિગમ દ્વારા કાર્યરત કરાયેલ કેનાલોની કામગીરી હલકી ગુણવત્તાની કરાઇ હોવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં બનાવવામાં આવેલ નર્મદાની કેનાલોમાં વારંવાર ગાબડા પડવાની સમસ્યાઓ સર્જાતી હોવાથી વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.
તો કેનાલ આજુબાજુમાં આવેલા ખેતરમાં પાણી ફરી વળતાં ખેડૂતોને પણ ભારે નુકશાન થતું હોય છે. નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા જાત તપાસ હાથ ધરી વારંવાર તૂટતી કેનાલોની સમસ્યાઓનું કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે.
પાટણ જીલ્લાના રાધનપુર પંથકમાં નર્મદા નિગમ દ્વારા કાર્યરત કરાયેલ કેનાલોની કામગીરી હલકી ગુણવત્તાની કરાઇ હોવાના આક્ષેપો અવાર-નવાર વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં બનાવવામાં આવેલ નર્મદાની કેનાલોમાં વારંવાર ગાબડા પડવાની સમસ્યાઓ સર્જાતી હોવાથી વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.
તો કેનાલ આજુબાજુમાં આવેલા ખેતરમાં પાણી ફરી વળતાં ખેડૂતોને પણ ભારે નુકશાન થતું હોય છે. ત્યારે સોમવારના રોજ રાધનપુર પંથકની ઓધવનગર પાસેની નર્મદા સબ બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું જાણવા મળ્યું છે.
જોકે, આ બાબતે નર્મદા વિભાગ અજાણ હોય જા તાત્કાલીક ધોરણે આ ગાબડાનું સમારકામ હાથ ધરવામાં નહી આવે તો કેનાલમાં અવિરત પાણીના વહેતા પ્રવાહના કારણે કેનાલ તૂટવાની પુરે પુરી સંભાવના રહેલી હોય જેના લીધે કેનાલની આજુબાજુમાં આવેલા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળે તેવી ભીતી સેવાઇ રહી છે. રાધનપુર પંથકમાં કાર્યરત નર્મદાની કેનાલોની હલકી ગુણવત્તાની કામગીરી બાબતે નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા જાત તપાસ હાથ ધરી વારંવાર તૂટતી કેનાલોની સમસ્યાઓનું કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ વિસ્તારના લોકોમાં ઉઠવા પામી છે.
From – Banaskantha Update