અમીરગઢ તાલુકાના ઘોડા ગામે રહેતા સામીરાભાઈ જાલમાભાઈ ચૌહાણના કાચા છાપરામાં બુધવારે મોડી સાંજે શોર્ટસર્કિટથી અચાનક આગ લાગી હતી. આગ લાગવાની જાણ આજુબાજુના લોકોને થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબુ લે તે પહેલાં તો આખું છાપરું બળીને ખાખ થઈ ગયું હતું.
છાપરામાં પડેલા ઘઉં, ગોદડા, વાસણો તેમજ રોકડ રકમ બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે આગ લાગવાથી સામીરાભાઈ અને પુત્રને આગની સામાન્ય જાળ લાગી હતી. છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા સામીરાભાઈ ચૌહાણના કાચા મકાનમાં આગ લાગતા જાણે આભ તૂટી પડ્યું હોય તેવા દ્દશ્યો સર્જાયા છે.
From – Banaskantha Update