ગુજરાત હાઈપાવર કમિટીના આદેશ અનુસાર 7 વર્ષથી ઓછી સજા વાળા કાચા કામના કેદીઓ અને ભરણ પોષણના ગુન્હામાં સજા કાપતા 15 કેદીઓને આજે વચગાળાના જામીન પર મુક્ત કરાયા છે.
બનાસકાંઠામાં આજે પાલનપુરની જિલ્લા જેલમાંથી કોરોના મહામારી અંતર્ગત કેદીઓને મુક્ત મુકાયા છે. ગુજરાત હાઈપાવર કમિટીના આદેશ અનુસાર 7 વર્ષથી ઓછી સજા વાળા કાચા કામના કેદીઓ અને ભરણ પોષણના ગુન્હામાં સજા કાપતા 15 કેદીઓને આજે વચગાળાના જામીન પર મુક્ત કરાયા છે.
અત્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીની ઝપેટમાં આવી ગયુ છે. ગુજરાતમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારની સાથે-સાથે જેલમાં સજા ભોગવતા કેદીઓ પણ કોરોના વાયરસથી પ્રભાવિત થયા હતા.
જેથી કેન્દ્ર સરકારની નોવેલ કોરોના મહામારી ગાઈડલાઈન અને ગુજરાત સરકારની હાઈપાવર કમિટીએ ગુજરાતની તમામ જેલોમાંથી 7 વર્ષથી ઓછી સજા વાળા કાચા કામના કેદીઓ અને ભરણપોષણ અંતર્ગત સજા કાપતા કેદીઓને છોડી મૂકવાનો નિર્ણય લેવાયો હતો.
જે અંતર્ગત આજે પાલનપુર ખાતે આવેલી બનાસકાંઠા જિલ્લા જેલમાં પણ 15 કેદીઓને મુક્ત કરાયા છે જેમાં સાત વર્ષથી ઓછી સજા વાળા 7 કાચા કામના કેદીઓ જ્યારે ભરણપોષણ ગુન્હાઓમાં સજા કાપતા 8 કેદીઓ મળી કુલ 15 કેદીઓની આજે જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત કરાયા હતા.
આ અંગે જિલ્લા જેલ અધિક્ષક વી.પી ગોહિલે જણાવ્યું હતું કે પાલનપુરની જિલ્લા જેલમાંથી 15 કેદીઓને વચગાળાના જામીન પર મુક્ત કર્યા છે જે કેદીઓએ તેમના નજીકની પોલીસ સ્ટેશનમાં એક મહિના સુધી હાજરી પુરાવવાનીની રહેશે.
From – Banaskantha Update