બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે બનાસકાંઠાના સરહદી વાવ તાલુકામાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. વાવના અશારા ગામમાં પડેલ ઘાસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.
[google_ad]
બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં આવતા વાવ તાલુકાના અશારા ગામે ઘાસમાં આગ લાગી. રાજપૂત હીરાજીના વાડામાં પડેલ 700 ભારા ઘાસ બળીને ખાખ થઇ ગયા. ખેડૂતનો ઘાસચારો બળીને ખાખ થઇ જતા અંદાજે 50 હાજરનું નુકસાન ખેડૂતને વેઠવાનો વારો આવ્યો. જોકે, થરાદ ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.
[google_ad]
From – Banaskantha Update