સરકારી કંપનીઓના ખાતરના ભાવમાં તોતિંગ વધારાને લઇને ખેડૂતોમાં આક્રોશ

- Advertisement -
Share

રાસાયણિક ખાતરના ભાવમાં થયેલા તોતિંગ વધારાને લઇને ખેડૂતોમાં આક્રોશ. ખાનગી કંપનીઓ બાદ સરકારી રાસાયણિક ખાતર કંપનીઓએ ખાતરના ભાવમાં તોતિંગ વધારો કરતા ખેડૂતોની સ્થિતિ પડતાં પર પાટું જેવી થઈ છે.

 

 

રાજ્યમાં ખેડૂતોના પ્રશ્નો સૌથી વધુ છે. તે વચ્ચે સરકારી રાસાયણિક ખાતર બનાવતી કંપનીઓએ ખાતરના ભાવમાં તોતિંગ વધારો કરતાં ખેડૂત તો સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

 

 

થોડા દિવસ અગાઉ ખાનગી કંપનીઓએ ભાવ વધાર્યા તે સમયે સરકારે સરકારી કંપનીમાં ભાવ વધારે નથી તેવો રાગ આલાપ્યો હતો. પરંતુ તેના થોડા દિવસો બાદ જ સરકારી રાસાયણિક ખાતર બનાવતી કંપનીઓએ ખાતરના ભાવમાં મોટો વધારો કરતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે.

 

 

ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ પણ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો. સરકાર પાસે ભાવવધારો પાછો ખેંચવા માટેની માંગ કરી રહ્યા છે અને જો ભાવ પાછો નહિ ખેંચે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી.

 

ખાતરનો ભાવ વધારો :-

 

ઇફકો કંપનીએ ખાતરમાં ખેડૂતો પર ઝીંક્યો ભાવ વધારો

ડીએપી ખાતરમાં 1200ની જગ્યાએ 1900 થયા

ડીએપી ખાતરમાં 700નો વધારો

એનપીકે 12:32:16માં 1185ની જગ્યાએ 1800 થયા, રૂપિયા 615નો વધારો

એનપીકે 10:26:26માં 1175ની જગ્યાએ 1775નો ભાવ, રૂપિયા 600નો વધારો

એએસપી માં 975ની જગ્યાએ 1350 થયા રૂપિયા, 375નો વધારો થયો

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!