રાજય સરકારે ચણા, તુવેર અને અડદના સ્ટોકનો આગામી 31 ઓકટોબર સુધીમાં નિકાલ કરવા આદેશ કર્યો છે. જેમાં પુરવઠા વિભાગ દ્વારા રાજકોટ, કોટડાસાંગાણી, લોધિકા અને ગોંડલની વેપારી પેઢીઓના સ્ટોકની તપાસ કરાઇ હતી.
[google_ad]
જેમાં વધારાના જથ્થાને આગામી 30 દિવસમાં નિકાલ કરવા સૂચના આપી છે. જેમાં 16 અને 17 જુલાઇ- 2021ના રોજ સંબંધિત તાલુકાના મામલતદારો દ્વારા વિવિધ વેપારી પેઢીઓની તપાસ કરવામાં આવી હતી.
[google_ad]
જેમાં ચણાના હોલસેલર એ.જી.ટી.ફુડર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અનિડા ગોંડલની પેઢીની તપાસ કરતાં સ્ટોક લિમિટ કરતાં 301 મેટ્રિક ટન ચણા વધુ જણાઈ આવ્યા હતા. એવી જ રીતે ચણાદાળ, તુવેરદાળ અને અડદદાળના મીલર્સ એવા કોટડાસાંગાણીના હડમતાળાની શ્રીરામ પલ્સ મીલ ખાતે તપાસ દરમ્યાન ચણાનો 37 મેટ્રિક ટન જથ્થો વધુ જણાયો હતો.
[google_ad]
From – Banaskantha Update