દાંતીવાડાની સરદાર કૃષિ યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઝેર પી જીવન ટૂંકાવતા ચકચાર

- Advertisement -
Share

સૂત્રોના જણાવ્યા અનુસાર દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ રવિવારના રાત્રિના સુમારે ઝેરી દવા પી પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

વિદ્યાર્થી સરદાર કૃષિ યુનિવર્સિટીમાં આવેલ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો જ્યારે ઝેરી દવા પીવાથી પોતાનું મૃત્યુ થયું હતું જેથી હોસ્ટેલના સત્તાધીશો દ્વારા તેના પિતાને જાણ કરતા સુરેશકુમાર રતિલાલ દરજી ઘટનાસ્થળે આવતાની સાથે જ પોતાના દીકરાએ જીવ છોડી મૂકયો હતો.

 

 

જ્યારે આ બાબતે વિદ્યાર્થીના પિતા સુરેશ કુમાર રતિલાલ દરજીએ દાંતીવાડા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને જણાવ્યું કે 08/03/2021 ના રોજ પાલનપુર જનરલ હોસ્પીટલ ખાતે મારા દિકરા જય સુરેશકુમાર સિન્ધવ ઝેરી દવા પી જવાથી સારવાર દરમ્યાન મરણ પામેલ છે જે બાબતે અમોને ટેલીફોનીક જાણ યુનીવર્સીટીના રેકટર દ્વારા કરવામાં આવી હતી.

 

 

જેમાં મારો દિકરો જય સુરેશભાઇ સિન્ધવ જે દાંતીવાડા સરદાર કૃષી યુનીવર્સીટીમા એગ્રીકલ્ચર માસ્ટર ડીગ્રીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને યુનીવર્સીટીમાં આવેલ પી.જી.બોય હોસ્ટેલમાં રહેતો હતો અને આ મારો દિકરો જય આવુ દવા પીવાનું જાતે કામ કરે નહી તેવો અમને પુરે પુરો વિશ્વાસ છે પરંતુ આ જે ઘટના ઘટી છે તે કયા અને કેવા કારણોસર બનેલ છે તેની અમોને જાણ નથી.

 

 

તેમજ કૃષી યુનીવર્સીટીમાં સી.સી.ટી.વી પણ ન હોવાથી એક ગંભીર બાબત ગણી શકાય છે તેમજ તેના હોસ્ટેલના રુમનો પાછળનો દરવાજો પણ ખુલ્લો હોવાથી આ બાબતે અમોને શંકા ઉપજાવે છે જેથી આ બાબતે ન્યાયીક અને સત્ય તપાસ કરવામા આવે તો સત્ય કારણ બહાર આવી શકે તેમ છે જેથી આ બાબતે ન્યાયીક તપાસની માંગ કરવામાં આવી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!