ડીસાના શેરપુરાથી વરણ સુધી નવિન પાકો રોડ મંજૂર થતાં ગ્રામજનોમાં ખુશી

- Advertisement -
Share

વર્ષોની રજૂઆત બાદ રોડ મંજૂર થતાં 300થી વધુ પરીવારોને રાહત

ડીસા તાલુકાના શેરપુરાથી રૂપનગર થઇ વરણ સુધીનો વર્ષો જૂનો કાચો રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે. જેથી બન્ને ગામના ગ્રામજનો સહિત રાહદારીઓમાં ખુશી વ્યાપી જવા પામી છે.

[google_ad]

ડીસાના શેરપુરા થી વરણ જવાનો રસ્તો કાચો અને રેતાળ હતો. ચોમાસાની સિઝન દરમિયાન આ કાચા રસ્તા પર વરસાદી પાણી ભરાઇ જતું હતું. આથી બન્ને ગામના ગ્રામજનો, રાહદારીઓ અને શાળાએ જતાં નાના બાળકો ભારે પરેશાની ભોગવતાં હતાં. આ રોડ બનાવવા માટે શેરપુરા ગામના લોકોએ અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી.

[google_ad]

 

જોકે, ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા તાજેતરમાં જ નવિન રોડ મંજૂર કરાવ્યાં હતાં. જેમાં શેરપુરાથી રૂપનગર થઇ વરણ સુધીના કાચા રોડ (નેળીયા)ને પાકો રોડ મંજૂર કરાવતાં ગ્રામજનોમાં ખુશી વ્યાપી જવા પામી હતી.

[google_ad]

આ અંગે અણદાભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, આઝાદી મળ્યાને 75 વર્ષ બાદ શેરપુરાથી રૂપનગર થઈ વરણને જોડતો બીડનો રસ્તો. આ રસ્તાના રહેવાસીઓ પણ ઘણા લાંબા સમયથી પાકા ડામર વાળા રસ્તાની માંગ કરતા આવ્યા છે. આ રસ્તા પર 300 કરતા વધારે પરિવારો વસવાટ કરે છે. જેઓ છેલ્લા ઘણા સમયથી ચોમાસાની ઋતુમાં પરેશાની ભોગવતા હતાં. રસ્તાના 300 પરિવારોએ આ રસ્તો મંજૂર થતાં ખુશી અનુભવી છે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!