બનાસકાંઠાના દાંતામાં સોમવારની મોડી રાતે આગ લાગવાની ઘટના બની હતી. આ પ્રકારે પહાડી વિસ્તારોમાં આગ લગતા કુદરતની દેન જંગલોમાં ભારે નુકસાન થઇ રહ્યું છે.
આ વિસ્તારમાં ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાથી આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની રાહ જોવી પડે છે. આગ લાગ્યા બાદ આજે જતા વન વિભાગના માત્ર 2 કર્મચારીઓ આગ બુઝ્વતા જોવા મળ્યા હતા. ગુજરાત સરકાર અને વન વિભાગ તરફથી તાત્કાલીક અસરથી આગ બુઝાવવા માટે વધૂ લોકોની વ્યવસ્થા થાય તેવી લોક માંગ ઉઠી રહી છે. આગ લાગવાનું કારણ જાણી તે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી.
From – Banaskantha Update