થરાદમાં અસામાજિક તત્વો દ્વારા પશુઓના મૃતદેહના ટુકડા જાહેર રસ્તે ફેંકતા લોકોમાં રોષ

- Advertisement -
Share

થરાદ બસ સ્ટેશનથી માર્કેટ યાર્ડ તરફ જવાના મુખ્ય રસ્તા પર નરસિંહ ટેકરીની સામે અસામાજિક તત્વો દ્વારા અબોલ પશુઓના મૃતદેહના ટુકડા જાહેર રસ્તે ફેંકતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 

 

થરાદ બસ સ્ટેશનથી લઈને નવી માર્કેટ યાર્ડના જાહેર રસ્તા પર નરસિંહ ટેકરીની સામે ગંદકી વાળો કચરો અને અબોલ પશુઓનાં મૃત દેહના ટુકડાઓ નાખવામાં આવે છે જેના લીધે તે રસ્તા ઉપર ખુબજ ગંદકી થાય છે અને રસ્તે પર ચાલતા રાહદારીઓને ત્યાંથી પસાર થવામાં પણ ભારે મુશ્કેલી પડે છે જ્યારે અબોલ પશુઓને કસાઈઓ દ્વારા મારણ કરી તેના મૃતદેહના ટુકડાઓ ફેંકતા ત્યાં ગંદકી થાય છે.

આવા માસના ટુકડાઓ શ્વાન અને બીજા પ્રાણીઓ આરોગે છે તેના કારણે શ્વાન પણ હડકાયા થાય તેવી સંભાવનાઓ ઉભી થાય છે.

 

Advt

 

જ્યારે આવા કચરાને રખડતા પશુઓ આરોગે છે અને તે પણ બીમાર પડે છે આવા અસામાજિક તત્વો વિરૂદ્ધ તંત્ર કોઈ કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકો અને રાહદારીઓની પ્રબળ માંગ ઉઠવા પામી છે અને જીવદયા પ્રેમીઓમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!