ભોજન પ્રસાદ, બ્લડ ડોનેશન કેમ્પ, શોભાયાત્રા અને લોક ડાયરા સહીતના કાર્યક્રમો યોજાયા
સમગ્ર વિશ્વમાં જેની સેવાના નામના ડંકા વાગે છે તેવા વિશ્વ વંદનીય સંત પૂજ્ય જલારામ બાપાની ગુરુવારે 223 મી જન્મ જયંતિ નિમિત્તે ઠેર-ઠેર ઉજવણી કરાઇ હતી.
બનાસકાંઠાના ડીસામાં પણ જલારામ મંદિરને ભવ્ય રીતે શણગારી શોભાયાત્રા, બ્લડ ડોનેશન કેમ્પ, ભોજન પ્રસાદ અને લોકડાયરા સહીતના કાર્યક્રમો યોજાયા હતા.
ડીસામાં જલારામ મંદિરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. જલારામ બાપાની 223 ની જન્મ જયંતિ નિમિત્તે ગુરુવારે વહેલી સવારે જલારામ મંદિરમાં પૂજા આરતી કર્યાં બાદ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.
આ શોભાયાત્રા જલારામ મંદિરથી શરૂ થઇ શહેરના મુખ્ય માર્ગો પર થઇ નીજ મંદિરે પરત ફરી હતી. જેમાં રઘુવંશી લોહાણા સમાજના ભાઇ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા આ જન્મોત્સવ પ્રસંગે ભોજન પ્રસાદ,
બ્લડ ડોનેશન કેમ્પ અને માણભટ્ટ લોક ડાયરા સહીતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ડીસાની ધર્મપ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
From-Banaskantha update