બનાસકાંઠા જીલ્લામાં લાખણી,દિયોદર, કાંકરેજ અને થરાદ વિસ્તારમાંથી પસાર થતી સુજલામ-સુફલામ કેનાલમાં પાણી ન આવતાં આ તમામ વિસ્તારના ખેડૂતો સોમવારે લાખણી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ખેડૂતોએ ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
બનાસકાંઠા જીલ્લામાં થોડા દિવસ અગાઉ સુજલામ-સુફલામ કેનાલમાં ચાંગા પમ્પિંગથી પિયત માટે પાણી છોડવાની માંગ કરી હતી અને તા. 21 મીએ જો પાણી છોડવામાં નહીં આવે ખેડૂતો ધરણાં પર ઉતરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.
ત્યારે સોમવારે બનાસકાંઠા જીલ્લાના લાખણી, દિયોદર, કાંકરેજ અને થરાદ વિસ્તારમાંથી પસાર થતી સુજલામ-સુફલામ કેનાલમાં પાણી ન આવતાં આ તમામ વિસ્તારના ખેડૂતો લાખણી મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને ધરણાં યોજ્યા હતા.
ખેડૂતોએ ચાંગા પંમ્પિંગથી કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ લાખણી મામલતદાર કચેરીમાં 100 થી વધુ ખેડૂતો એકત્ર થઇ ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તાત્કાલીક ધોરણે સરકાર દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરી હતી.
From-Banaskantha update