દાંતામાં મકાનની દીવાલ ધરાશાયી : સદનસીબે મોટી જાનહાની ટળી

- Advertisement -
Share

ઘરમાં રહેલ સામાનને ભારે નુકશાન થયું છે

વરસાદના કારણે અનેક સ્થળો પર ઘર પડવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના બુધવારે બનાસકાંઠાના દાંતા વિસ્તારથી સામે આવી છે.

ઘરની દીવાલ ધરાશાયી થતાં ઘરની ઉપર રહેલ પતરા પણ નીચે પડતાં ભારે દોડધામ મચી ગઇ હતી. વરસાદના કારણે લક્ષ્મીપુરા વિસ્તારમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
રાહતની વાત એ છે કે, ઘરમાં કોઇ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. દાંતા વિસ્તારમાં રહેતાં હરિભાઇ ગણેશભાઇ સોલંકીના ઘરની દીવાલ ધરાશાયી થઇ છે.

ઘરમાં રહેલ સામાનને ભારે નુકશાન થયું છે. વરસાદના પગલે લક્ષ્મીપુરા વિસ્તારમાં ઘરની દીવાલ ધરાશાયી થતાં વિસ્તારમાં અફડા-તફડી સર્જાઇ હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!