2 તબક્કામાં ગુજરાત વિધાનસભા ચૂંટણીનું ઇલેક્શન જાહેર કરાયું છે
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આદર્શ આચારસંહીતા લાગુ થઇ ગઇ છે. જેના કારણે પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં તંત્ર દ્વારા રાજકીય પક્ષોના બેનર ઉતારી ગુરુવારથી જ આચારસંહીતાની અમલવારી શરૂ કરી હતી.
ચૂંટણી પંચની ગુરુવારે બેઠક યોજાઇ હતી. જેમાં 2 તબક્કામાં ગુજરાત વિધાનસભા ચૂંટણીનું ઇલેક્શન જાહેર કરાયું છે. જેને લઇ ગુજરાતમાં આચારસંહીતા લાગી ચૂકી છે.
જેને લઇ પાલનપુર નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના ખૂણે ખૂણે લાગેલા રાજકીય બેનરો ઉતારવાની શરૂઆત થઇ ચૂકી છે. વિધાનસભા ચૂંટણી જાહેર થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે.
From-Banaskantha update