ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા : આઇશર ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકીને નાસી છૂટ્યો
પાલનપુર તાલુકાના કાણોદર નજીક મંગળવારે એક મહીલા અને તેની 2 દીકરીઓને સિદ્ધપુર તરફથી આવી રહેલા એક આઇશર ચાલકે હાઇવે ઉપર ટક્કર મારી હતી.
જેમાં એક મહીલા અને તેની દીકરીનું મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી આઇશર ચાલક આઇશર ટ્રક મૂકી નાસી છૂટ્યો હતો. આ અંગે પાલનપુર તાલુકા પોલીસે આઇશર ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે.
ત્યારે મંગળવારે પાલનપુર તાલુકાના કાણોદર હાઇવે ઉપર એક મહીલા પોતાની 2 દીકરીઓ સાથે કાણોદર ઘરવખરીનો સામાન લેવા આવી હતી.
સામાન ખરીદી કરી પોતાની 2 દીકરીઓ સાથે પરત ઘર તરફ જતાં સિદ્ધપુર તરફથી પૂરઝડપે આવી રહેલા એક આઇશર ટ્રક નં. GJ-36-T-6061 ના ચાલકે મહીલા અને તેની દીકરીઓને ટક્કર મારી હતી.
જેમાં આઇશર ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી 108 વાન એમ્બ્યુલન્સ દ્વારા એક મહીલા અને 2 દીકરીઓને તાત્કાલીક સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
જોકે, તે સમયે એક મહીલાનું અને તેની એક દીકરીનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક દીકરી ગંભીર હાલતમાં હોવાથી તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડી સારવાર શરુ કરાઇ હતી. આ અંગે પાલનપુર તાલુકા પોલીસે આઇશર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update