ડીસાના રિઝમેટ વિસ્તારમાં ત્રણ શ્વાનને ઘરમાં પૂરી નિર્મમ હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. નવરાત્રીના પર્વમાં અસામાજિક તત્વે ઘરમાં પૂરી બે ગલુડિયા સહિત ત્રણ શ્વાનની હત્યા કરી બહાર ફેંકી દેતાં અરેરાટી ફેલાઈ હતી અને હત્યા કરનારા શખ્સ સામે લોકોમાં ફિટકારની લાગણી જોવા મળી હતી.
ડીસાના રિઝમેટ વિસ્તારમાં એક અસામાજિક તત્વે 2 ગલુડિયા સહિત ત્રણ શ્વાનને તેના ઘરમાં પુરી દીધા હતા અને ઘરમાં પૂરી ત્રણેયની તિક્ષ્ણ હથિયારના ઘા મારી નિર્મમ હત્યા કરી બહાર ફેંકી દીધા હતા.
ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને હત્યા કરાયેલી હાલતમાં ત્રણ શ્વાનને જોતાં અરેરાટી ફેલાઈ હતી. નવરાત્રી જેવા માતાજીની આરાધના અને તપસ્યાના પર્વમાં ત્રણ અબોલ શ્વાનની નિર્મમ હત્યા કરનારા શખ્સ સામે લોકોએ ફિટકારની લાગણી વરસાવી હતી.
From – Banaskantha Update