કોરોના બાદ સતત ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે : મોંઘવારી આસમાને પહોંચી હોવાના કારણે લોકોની હાલત કફોડી બની ગઇ છે
ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં શનિવારે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપ્યું છે. મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી જેવી સમસ્યાઓ મામલે સરકારને જગાડવા માટે અને જનતાનો અવાજ
સરકાર સુધી પહોંચાડવા માટે લોકોએ પણ કોંગ્રેસને સહકાર આપ્યો હતો. જોકે, બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસ આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.
છેલ્લા ઘણા સમયથી મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીની સમસ્યાએ માજા મૂકી છે. દૂધ, છાશ, તેલ અને ગેસના બાટલા જેવી જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચતા સામાન્ય વ્યક્તિ ત્રસ્ત બન્યો છે.
કોરોના બાદ સતત ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે અને બીજી તરફ મોંઘવારી આસમાને પહોંચી હોવાના કારણે લોકોની હાલત કફોડી બની ગઇ છે.
જેના વિરોધમાં શનિવારે ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં સવારે 9:00 થી 12:00 વાગ્યા સુધી બંધનું એલાન આપ્યું હતું.
ડીસામાં વહેલી સવારથી જ કોંગ્રેસ આગેવાનોએ બંધના એલાને સફળ બનાવવા માટે પડયા હતા તો વેપારીઓએ પણ કોંગ્રેસ આગેવાનોને સમર્થન આપી તેઓ પણ મોંઘવારીથી પીડાતા હોવાની વાત કરી
હતી. આ અંગે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ અને ડીસાના પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિપુલભાઇ શાહે જણાવ્યું હતું કે, ‘સતત વધી રહેલી મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારમાં સામાન્ય
લોકો પીસાઇ રહ્યા છે અને સરકાર પણ લોકોની પીડાને સમજતી નથી. ત્યારે જનતાના અવાજને સરકાર સુધી પહોંચાડવા માટે શનિવારે આપેલા બંધના એલાને લોકોએ સમર્થન આપીને સફળ બનાવ્યું છે.’
From-Banaskantha update