ડીસા તાલુકાના કુચાવાડા ખાતે રહેતા અંબાલાલ રામચંદભાઈ જોશીની દીકરી તેજલબેનના લગ્ન પાંચેક વર્ષ અગાઉ સામાજિક રીત રિવાજ મુજબ ડીસાના રાણપુર ઊગમણાં વાસ ખાતે રહેતા મેહુલભાઈ દિલીપભાઈ જોશી સાથે થયેલા હતા અને લગ્ન જીવન દરમિયાન તેમના ત્યાં એક પુત્રીનો પણ જન્મ થયેલ.
જોકે, લગ્નના પાંચેક વર્ષના સમયગાળા બાદ તેજલબેન ગત તારીખ 11/07/22ના રોજ પોતાના સાસરે હતા તે દરમિયાન સવારના સુમારે તેમના પતિ મેહુલભાઈ તેમને કહેવા લાગેલ કે તું જ્યારથી મારા ઘરમાં પરણીને આવી છે ત્યારથી કોઈને સુખથી રહેવા દેતી નથી અને તારું આખું ઘર ઝગડાખોર છે તેમ કહી ઉશ્કેરાઈ જઈ ગાળો બોલવા લાગેલ અને તે દરમિયાન તેજલબેનના સાસુ અને દિયર ત્યાં આવેલા અને તેઓ પણ તેમના પતિ દિલીપભાઈને ઉશ્કેરવા લાગેલ અને પતિ મેહુલભાઈ મારવા લાગેલ અને તેજલબેને પહેરેલ દાગીના પણ લઈ લીધેલા.
કહેવા લાગેલ કે તું અહીંથી જતી રહે અને પાંચ લાખ રૂપિયા લઈને જ પાછી આવજે અને અમારા કહેવા નહિ રહે તો જાનથી મારી નાખીસુ જેથી તેજલબેન તેમની ચાર વર્ષીય દીકરીને લઈ પોતાના પિતાને ત્યાં કુચાવાડા ખાતે આવી ગયેલ અને પોતાના પરિવારજનોને આ બાબત જણાવી આ મામલે ડીસા તાલુકા પોલીસ મથકે પતિ મેહુલ દિલીપભાઈ જોશી, સાસુ પુષ્પાબેન દિલીપભાઈ જોશી અને દિયર હિતેશ દિલીપભાઈ જોશી તમામ રહે.રાણપુર ઊગમના વાસ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધવાતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update