સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના બિગુલ વાગવા માંડ્યા છે બધા રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા અને ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ કરાઇ છે.
ફોર્મ ભરવાની કામગીરી પુર્ણ થતાં જ વોર્ડ નંબર 4ના મતદારોએ ભાજપના ઉમેદવાર ત્રિવેદી ચેતનભાઇ જીતેન્દ્રભાઈ વિરુદ્ધ પોતાનો આક્રોશ સોશિયલ મીડિયા ઉપર ઢાળવી દીધું હતું.
ફેસબુક ઉપર કેટલાક મતદારોએ વોર્ડ નંબર એકમાંથી આવેલા ઉમેદવાર ત્રિવેદી ચેતન જીતેન્દ્રભાઈને “વોટ નહીં વોટ નહી” તેમજ “આયાતી ઉમેદવાર નહી ચાલે, નહિ ચાલે, નહીં જ ચાલે” તેવી પોસ્ટ મૂકી ઉમેદવાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ચેતનભાઇ તે વોર્ડ નંબર એકમાં નિવાસ કરે છે અને ભાજપે વોર્ડ નંબર ચારમાં બનાવેલી પેનલમાં તેમનો સમાવેશ કર્યો છે આ પહેલા ચેતનભાઇ વોર્ડ નંબર ચારમાં પ્રચાર અર્થે જતા સ્થાનિકોએ હોબાળો પણ મચાવ્યો હતો.
From – Banaskantha Update