રૂ. 3,50,000 બીલ પાસ કરવા લાંચ માંગી હતી : દૂધારામપુરા ગ્રામ પંચાયત કચેરીમાં છટકું ગોઠવી એ.સી.બી.એ મહીલા તલાટી કમમંત્રીને ઝડપી પાડયા
પાટણના દૂધારામપુરા, ખારીવાવડી અને બાદીપુરના તલાટી કમમંત્રી તરીકે ફરજ બજાવતા પુષ્પાબેન ગોવિંદભાઇ પ્રજાપતિને રૂ. 18,000 ની લાંચ લેતાં એ.સી.બી.એ રંગેહાથ ઝડપી પાડયા છે. એ.સી.બી.ની કાર્યવાહીના પગલે લાંચીયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
આ કામના ફરિયાદીએ ગામની શાળામાં વરંડાનું કામ કર્યું હતું. જેનું બીલ રૂ. 3,50,000 નું હતું. આ બીલની વહીવટી પ્રક્રીયાની સરળતા માટે તલાટી કમમંત્રી પુષ્પાબેન ગોવિંદભાઇ પ્રજાપતિએ ફરિયાદી
પાસેથી રૂ. 18,000 ની લાંચ માંગી હતી. જે નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય તેમણે પાટણ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.
ફરિયાદીની ફરિયાદ બાદ પાટણ એ.સી.બી.એ દૂધારામપુરા ગ્રામ પંચાયત કચેરીમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં મહીલા તલાટી કમમંત્રીએ રૂ. 18,000 ની લાંચની રકમ સ્વીકારતાં જ એ.સી.બી.એ રંગેહાથ ઝડપી પાડયા હતા.
From-Banaskantha update