કોરોના સંક્રમણ વધતા બનાસકાંઠાના લાખણી તાલુકાનું ગેળા હનુમાનજીનું મંદિર બંદ રાખવાનો નિર્યણ લેવાયો આ નિર્યણ કોરોના સંક્રમણ વધતા ગ્રામ પંચાયત દ્રારા લેવાયો, ગેળા હનુમાનજીનું મંદિર શનિવારે રહેશે બંધ.
ગેળા હનુમાનજીના મંદિરે દર શનિવારે દર્શનાર્થીઓની ભારે ભીડ રહેવાથી મંદિર બંદ રાખવાનો ગ્રામ પંચાયતે લીધો નિર્યણ. સરકાર દ્વારા નવી ગાઇડલાઇન જાહેર ના થાય ત્યાં સુધી ગેળા હનુમાનજીના મંદિરે શ્રદ્ધાળુઓને ના આવવાની ગ્રામ પંચાયતે કરી અપીલ.
કોરોનાને લઈને નવી ગાઇડલાઇન જાહેર ના થાય ત્યાં સુધી કોઈ ધર્મપ્રેમી જનતા દર્શનાર્થી ગેળા હનુમાનજીના મંદિરે આવશે તો ગ્રામ પંચાયત દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
From – Banaskantha Update