પ્રાંતિજના વડવાસામાં પાંચેક ખેડૂતો ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી આર.સી.ફળદુને કોબીજના ભેળસેળ વાળા બિયારણ મુદ્દે રજૂઆત કરતાં ગાંધીનગર,હિંમતનગર બાગાયત ટીમ વડવાસામાં દોડી આવી હતી
પ્રાંતિજના વડવાસામાં 135 દિવસ અગાઉ 400 વિઘાથી વધુ કોબીજનું મોંઘુદાટ બિયારણ લાવીને ખેડૂતોએ વાવેતર કર્યું હતું. જે 50 દિવસ થવાં છતાં માંડ માંડ છોડ પર ગર્ભ બંધાયો હતો ત્યારે વરસાદની સિઝન આવતા આ કોબીજ પાક કોહવાતાં ખેડૂતોએ ડીલર તેમજ કંપની પર ભારોભાર રોષ ઠાલવ્યો હતો.ખેડૂતો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં ખેતીવાડી વિભાગ તપાસ કરી ખોટા આશ્વાસન આપી પરત જતા રહ્યા હતા.
કંપની અને ડીલરોએ નમતું તોલી ખેડૂતને વીઘે રૂ.12500 ચૂકવવાની બાહેંધરી આપી હતી પરંતુ નાણા ચૂકવાયા નથી. જેથી દશરથભાઇ પટેલ, વિષ્ણુભાઈ પટેલ સહિતના પાંચેક ખેડૂતો ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી આર.સી.ફળદુને જઇ રજૂઆત કરતા આર.સી.ફળદુએ વડવાસાની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમની સૂચનાથી ગાંધીનગર ટીમના નિતીન શુક્લા, ભરત પટેલ તેમજ હિંમતનગરથી બાગાયત તંત્ર ટીમ દોડી આવી હતી. અધિકારીઓએ દરેક ખેડૂતના ખેતરોની મુલાકાત લીધી હતી તે દરમિયાન અમુક ખેડૂતોએ ખેતર ખેડી નાખ્યા હતા પરંતુ અધિકારીઓની ટીમે પુનઃ પંચનામું કર્યું હતું.
From – Banaskantha Update