બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે મધરાતે બંદુકની ગોળી મારી નિલગાયની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવતા લોકોમાં રોષની લાગણી છવાઈ છે. ગૌચરની જમીનમાં અજાણ્યા શખ્સોએ ગોળી મારી નિલગાયની હત્યા કરી તેનું ગળું કાપી નાખતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
આ બાબતે લોકોએ જાણ કરતા વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં કોઈ અજાણ્યા લોકોએ બંદુકના ભડાકે ગોળી મારી નિલગાયનું ગળું કાપી હત્યા કરી ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
અબોલ જીવની હત્યા થતાં પોલીસ તેમજ પશુ ડોક્ટરની ટિમ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે. બનાવના પગલે જીવદયા પ્રેમીઓએ આક્રોશ વ્યક્ત કરી અજાણ્યા ઈસમો ગૌચરમાં અવારનવાર નિલ ગાયોનો શિકાર કરે છે. તેને અટકાવવાની માંગ પણ કરી હતી.
From – Banaskantha Update