બનાસકાંઠામાં ડીપ્થેરીયા રોગને અટકાવવા માટે 5 લાખ બાળકોને રસી અપાશે

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લામાં બાળકોમાં થતાં ડીપ્થેરીયા નામના રોગને અટકાવવા વિશેષ ઝુંબેશ હાથ ધરીને 0થી 5 વર્ષ અને ધોરણ-1થી ધોરણ-10માં અભ્યાસ કરતાં 5 લાખ જેટલાં બાળકોને આગામી તા. 19 જુલાઇ-2021 સોમવારથી ડીપ્થેરીયાની રસી આપવાનું શરૂ કરવામાં આવશે તેમ બનાસકાંઠા જીલ્લા વિકાસ અધિકારી સ્વન્પીલ ખરેએ મિડીયા સાથે મુલાકાતમાં જણાવ્યું હતું.

[google_ad]

 

તેમણે મિડીયાને માહિતી આપતાં જણાવ્યું હતું કે, બનાસકાંઠા જીલ્લામાં વર્ષ-2019માં ડીપ્થેરીયાના 377 કેસો સામે આવ્યા હતા. જેમાંથી 17 બાળકોના મોત નિપજ્યા હતા. વર્ષ-2020માં 71 કેસ સામે આવ્યા હતા. જેમાંથી 10 બાળકોના મોત નિપજ્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં ડીપ્થેરીયાના 24 કેસ નોંધાયા છે. જેમાંથી 3 કમનસીબ બાળકોના મોત નિપજ્યા છે.

 

[google_ad]

 

તેમણે જણાવ્યું હતું કે, ડીપ્થેરીયાના આ રોગથી એક પણ બાળકનું મોત ન થાય તે માટે આરોગ્ય અને શિક્ષણ વિભાગની ટીમોને સજ્જ કરી રસીકરણનું મહાઅભિયાન હાથ ધરવામાં આવશે. તા. 19મી જુલાઇ-2021ના રોજ ધોરણ-1 અને ધોરણ-2, તા. 20મી ધોરણ-3, તા. 22મી ધોરણ-4, તા.23મી ધોરણ-5, તા.26મી ધોરણ-6, તા. 27મી ધોરણ-7, તા. 29 ધોરણ-8, તા. 30મી ધોરણ-9 અને તા. 31 જુલાઇએ ધોરણ-10માં અભ્યાસ કરતાં બાળકો અને 16 વર્ષથી નાના તમામ બાળકોને શાળામાં બોલાવી રસીકરણમાં આવરી લેવાશે.

 

[google_ad]

 

આ કામગીરીમાં શિક્ષણ અને આરોગ્ય વિભાગના 16,000 જેટલાં કર્મચારીઓ જોડાશે. જીલ્લા વિકાસ અધિકારીએ તમામ બાળકોના વાલીઓને અપિલ કરતાં જણાવ્યું હતું કે, આપણા વ્હાલસોયાની સુરક્ષિત અને સલામત જીંદગી માટે ડીપ્થેરીયાની રસી અવશ્ય મુકાવીએ.

 

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!