થરાદ માર્કેટયાર્ડમાંથી મુંબઈના વેપારીએ ખરીદેલ 46,47,323 રૂપિયાનું જીરું ગાંધીધામના ટ્રાન્સપોર્ટ માલિક અને ટ્રક ચાલકે બરોબારીયું કરી છેતરપીંડી કરતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે તેમાં સંડોવાયેલા ચાર સખ્સોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
વિવિધ માર્કેટયાર્ડમાંથી મસાલાની ખરીદી કરીને નિકાસ કરતા મુંબઈ રહેતા (અને મુળ ભડારીયા, તા.ભાવનગર)ના વેપારી વિરેન શાહે પોતાના મહેતા દ્વારા થરાદ માર્કેટયાર્ડમાંથી 46,47,323 રૂપિયાની 364 બોરી જીરુંની ખરીદી કરી જય શીયારામ ટ્રાન્સપોર્ટના માલિક સુરેશભાઇ બી.રબારીનો સંપર્ક કરી તેમની GJ-12-AU-5992 નંબરની ટ્રક દ્વારા મુન્દ્રા રવાના કરી હતી.
જોકે, તે નિયત જગ્યાએ નહીં પહોંચાડતા અને ટ્રાન્સપોર્ટ માલિક સુરેશભાઇ તથા ચાલક ભુરાભાઇ રણછોડભાઇ ઢીલા (રહે.માધાપર (ભુજ) સામે વેપારી વિરેનભાઇ ભરતભાઇ શાહએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વેપારીની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં થરાદ પોલીસે રવિવારે હુસેન મલુક હિંગોરમ (ઉંમર વર્ષ 34, ધંધો ડ્રાઇવિંગ, રહે.44-B, ગુરુકુળ 2 મેઘપર રોડ, અંજાર, તાલુકો-અંજાર, જીલ્લો-કચ્છ), મહેન્દ્રપુરી લાલપુરી ગૌસ્વામી (ઉંમર વર્ષ 35, ધંધો-ડ્રાઇવિંગ, નાગોર, હાલ રહે.હંગામી આવાસ, જીઆઇડીસી ભુજ, દશા માતાજીના મંદિર સામે ભુજ, તા.જીલ્લો- કચ્છ),
ઈકબાલ અલારખા હાલેપાત્રા (મૂળ રહે.નાની વમોટી, હાલ રહે. કેમ્પ એરિયા લશ્કરી માતમ ભુજ, તા. જીલ્લો-કચ્છ) તથા અજીજ રહેમતુલ્લા ઉનડ (રહે. નવાવાસ જીઇબી સામે, જૈન સમાજવાડી પાછળ, માધાપર, તા.ભુજ-જિલ્લો-કચ્છ)ની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
From – Banaskantha Update