મહેશ્વરી કોમ્યુનિટી હોલમાં જન આશિર્વાદ સભા યોજાઇ
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર અનિકેતભાઇ ઠાકરે ભાજપમાં ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા.
પ્રાંત કચેરીમાં આવેલ સરકારી ગોગ મહારાજના આશિર્વાદ લઇ મોટી સંખ્યામાં સમર્થકો સાથે પાલનપુર પ્રાંત કચેરી પહોંચી તેમના ટેકેદારો સાથે ફોર્મ ભર્યું હતું.
જોકે, તેમની સાથે આવેલા સ્ટાર પ્રચારક ભાજપના નેતા હીતેનભાઇ કનોડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. જે બાદ પાલનપુર મહેશ્વરી કોમ્યુનિટી હોલમાં જન આશિર્વાદ સભા યોજાઇ હતી.
જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સહીત પાલનપુર વિધાનસભા મત વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે અનિકેતભાઇ ઠાકરે જણાવ્યું હતું કે, ‘પાલનપુર વિધાનસભા વિસ્તારમાં જે કામો બાકી છે તેને પૂરા કરવામાં આવશે અને આ વખતે પાલનપુરમાં ભાજપ જંગી બહુમતીથી જીતશે તેવી આશા વ્યક્ત કરી છે.’
From-Banaskantha update