થરાદમાં મજૂરી અર્થે આવેલા યુવકે ગળેફાંસો ખાઇ જીવન લીલા સંકેલી લેતાં ચકચાર

- Advertisement -
Share

પોલીસે ગુનો નોંધી મોતનું કારણ શોધવા તપાસ હાથ ધરી

 

થરાદમાં શુક્રવારે જ ઉત્તરપ્રદેશથી થરાદ આવેલા યુવકે ગળેફાંસો ખાઇ જીવન લીલા સંકેલી લેતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે થરાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ઉત્તરપ્રદેશના સુમિતકુમાર હરિશચંદ્ર મોર્ય અને તેમનો પિતરાઇ આકાશ લક્ષ્મણભાઇ રાવત (ઉં.વ. આ. 21) બંને થરાદ-ધાનેરા હાઇવે પર આવેલી સિન્ધવાઇ એગ્રો ઇન્ડ્રસ્ટ્રેઝમાં

 

વેલ્ડીંગ મજૂરી અર્થે આવ્યા હતા. જે પૈકી સવારના નવેક વાગ્યાના સુમારે સુમિતકુમાર વેલ્ડીંગનું કામ કરવા પુલ પર ગયો હતો અને આકાશ નહીં આવતાં ઓરડીમાં જ રોકાયેલ હતો.

 

અગિયારેક વાગ્યાના સુમારે પરત આવેલા સુમિતે ઓરડીનો દરવાજો ખોલવા જતાં અંદરથી બંધ હતો. આથી ધક્કો મારીને ખોલવાનો પ્રયાસ કરતાં અવાજ નહીં આવતાં આજુબાજુમાંથી કારીગરો બોલાવી બધા
ભેગા થઇને દરવાજો ખોલતાં આકાશ ઓરડીમાં દુપટ્ટા જેવા કપડાથી પંખા સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો.

 

જેનો શ્વાસ થોડો થોડો ચાલુ હોઇ બધા મજૂરોએ નીચે ઉતારીને તાત્કાલીક તેને પ્રાઇવેટ વાહનમાં થરાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.

 

જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જોકે, આત્મહત્યા કરવાનું કારણ જાણવા મળ્યું ન હતું. આ બનાવને લઇને અરેરાટી સાથે ચકચાર મચી ગઇ છે.

 

આ અંગે થરાદ પોલીસ મથકે મૃતકના પિતરાઇ સુમિતકુમારની ફરિયાદના આધારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!