ટ્રાફીકજામ થઇ જતાં ચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો
પાલનપુર એરોમા સર્કલ નજીકથી જીવદયાપ્રેમીઓએ ટ્રકમાં કતલખાને લઇ જવાતાં 15 પશુઓને બચાવ્યા હતા. જ્યાં ટ્રાફીકમાં ટ્રક મૂકીને નાસી છૂટેલા ચાલક સામે ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, પાલનપુરના ગઠામણ પાટીયા નજીક ઉભેલા જીવદયાપ્રેમી ઉર્વેશકુમાર મહેન્દ્રભાઇ પટેલ, સચિનભાઇ ભીખાભાઇ જોષી અને રમેશભાઇ માનસિંહભાઇ જેઠવા ચા પીવા માટે ઉભા હતા.
ત્યારે શકમંદ ટ્રક નં. GJ-23-Y-8787 નો પીછો કર્યો હતો. જોકે, પાલનપુરના એરોમા સર્કલથી ડીસા જવાના માર્ગ પર ટ્રાફીક હોવાથી ટ્રક ચાલક ટ્રક મૂકી નાસી છૂટયો હતો.
જીવદયાપ્રેમીઓએ પોલીસને બોલાવી તલાશી લેતાં અંદરથી 15 નંગ ભેંસ મળી આવી હતી. આ અંગે નાસી છૂટેલા ટ્રક ચાલક સામે પશુ અત્યાચાર અધિનિયમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update