થરાદના સણાવીયામાં સમાધાન બાદ 3 શખ્સોએ 3 વ્યકિતઓ ઉપર જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

કુહાડી, લાકડી અને ગડદા પાટુનો માર મારતાં 3 વ્યક્તિઓને ઇજાઓ પહોંચાડતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા

 

થરાદ તાલુકાના સણાવીયામાં અગાઉની બોલાચાલી બાદ સમાધાન થતાં ખેતરમાં આવેલા ભત્રીજાએ પોતાના પિતા અને 2 ભાઇઓ સાથે મળીને કાકા, કાકી અને તેમની પુત્રી પર જીવલેણ હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં ચકચાર મચી ગઇ છે.
સણાવીયા ગામના તલાભાઇ ભુરાભાઇ ઠાકોર (બલોધર) એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ‘પાંચેક દિવસ પૂર્વે તેમના ભત્રીજા પીરાભાઇ સાથે બોલાચાલી થઇ હતી અને સમાધાન પણ થયું હતું.’

 

જેની વચ્ચે શુક્રવારે સાંજના 5-00 વાગ્યાના સુમારે તેઓ પોતાના ખેતરે હતા. આ વખતે પીરાભાઇ તેમના ખેતરમાં આવતાં તેમણે તું કેમ અહીં આવ્યો છે, તેવું કહેતાં પીરાભાઇ, તેના પિતા શોભાજી અને તેમનો નાનો
ભાઇ ભમો ઉર્ફે મુક્તિભાઇ પણ તેમના ઘર બાજુ જતાં રસ્તા પર આવીને જેમ તેમ અપશબ્દો બોલવા લાગ્યા હતા. આથી તેમ કરવાની ના પાડતાં તેઓ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા.

 

અને તેમના હાથમાંની કુહાડી ઉંધી તેમની પુત્રી આરતીના માથામાં ફટકારી હતી. વધુ ઝપાઝપી થતાં તેમની પત્ની દોડી આવતાં તેણી પર પણ લાકડી વડે અને તલાભાઇ પર ગડદા પાટુનો હુમલો કર્યો હતો. આજુબાજુમાંથી અન્ય લોકો વચ્ચે આવતાં તેમને છોડાવ્યા હતા.

 

પરંતુ જીવથી મારી નાખવાની ધમકી આપતાં ગયા હતા. પુત્રી આરતીને માથામાં ઇજાઓ થઇ હતી. પરિવારના ઇજાગ્રસ્ત દંપતિ અને તેમની પુત્રીને સારવાર અર્થે થરાદ હોસ્પિટલમાં ખસેડયા હતા. આ અંગે થરાદ પોલીસે ત્રણેય પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!