ધાનેરામાં મારામારીના કેસમાં 2 આરોપીને કોર્ટે 6 માસની સજા અને રૂ. 1,000 નો દંડ ફટકાર્યો

- Advertisement -
Share

5 વર્ષ અગાઉ મકાનનું બાંધકામનું કામ ખરાબ કરીએ છીએ એવી અફવા કેમ ફેલાવે છે તેમ કહી માર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

ધાનેરા નગરમાં આવેલ તુલસીનગરમાં ગેરેજ ઉપર કામ કરનાર વ્યક્તિને 2 શખ્સોએ આવીને કહેલ કે અમે મકાનનું બાંધકામનું કામ ખરાબ કરીએ છીએ એવી અફવા કેમ ફેલાવે છે તેમ કહી માર મારતાં આ બાબતનો કેસ ધાનેરા કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીઓને 2 માસની સજા અને રૂ. 1,000 નો દંડ ફટકાર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, ધાનેરાના તુલસીનગરમાં રહેતાં અને ગેરેજનું કામ કરનાર દિનેશભાઇ જવારજી માળીનું મકાન પહાડસિંગ સમર્તાજી રાજપૂત અને મુકેશભાઇ મોહનલાલ સુથાર બંને વ્યક્તિઓએ બનાવ્યું હતું.

 

ત્યારબાદ તા. 13 એપ્રિલ-2017 ના રોજ પહાડસિંગ અને મુકેશભાઇ બંને વ્યક્તિઓ દિનેશભાઇની ગેરેજ ઉપર આવીને કહેવા લાગેલ કે ‘તારૂ મકાન બનાવ્યું તે સારુ નથી બન્યું એવું માર્કેટમાં કેમ કહે છે અને
અફવા કેમ ફેલાવે છે’ તેમ કહી દિનેશભાઇને ઢોર મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી દિનેશભાઇ માળીએ આ બાબતની ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

આ બાબતનો કેસ પ્રિન્સીપાલ સિવિલ જજ જગદીશભાઇ એસ.પ્રજાપતિની કોર્ટમાં ચાલતાં સરકારી વકીલ મનુભાઇ એમ.સોલંકીએ રજૂઆતો કરતાં કોર્ટે તેમની દલીલો માન્ય રાખી આરોપીઓ પહાડસિંગ અને
મુકેશભાઇ બંનેને 6 માસની સજા અને રૂ. 1,000 નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 10 દિવસની સજાનો હુકમ કર્યો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!