દેહરાદૂન નજીક બસ ખીણમાં ખાબકી : 13 લોકોના મોત

Share

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં એક મોટો માર્ગ અકસ્માત થયો. દેહરાદૂન નજીક વિકાસનગરમાં બસ ખીણમાં ખાબકી છે. આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. તેમજ કેટલાક અન્ય લોકો ઘાયલ થયા છે. કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. રિપોર્ટ અનુસાર બસમાં સવાર તમામ લોકો એક જ ગામના રહેવાસી હતા. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

 

[google_ad]

અકસ્માતન બાબતે નજીકના ગામમાં સમાચાર મળતા જ ગ્રામજનોએ ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને બસમાંથી બહાર કાઢવાના પ્રયાસ હાથ ધર્યા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, અકસ્માત સ્થળ છેવાડાનો વિસ્તાર હોવાથી રાહત અને બચાવ કાર્યમાં સમય લાગી રહ્યો છે. તેમનં મુશ્કેલીઓ પણ પડી રહી છે.

[google_ad]

પોલીસે જણાવ્યુ હતું કે, બસ ઓવરલોડ હોવાને કારણે આ અકસ્માત પાછળનું કારણ હોઇ શકે છે. મીની બસ હતી જેમાં 25 લોકો સવાર હતા. કહેવામા આવી રહ્યું છે કે જે રૂટ પરથી બસ જઇ રહી હતી, તે રૂટ પર વધુ બસ ન હોવાને કારણે એક જ બસમાં 25 જેટલા લોકો સવાર થઈ રહ્યા હતા. હાલમાં નજીકના ગામના લોકો દ્વારા રેસ્ક્યૂ કરવાનું કામ ચાલી રહ્યું છે.

 

From – Banaskantha Update


Share