લાખણીના ચિત્રોડાની આધેડ મહીલાનું એસ.ટી.ની ટક્કરથી મોત

- Advertisement -
Share

બસ ચાલક ફરાર : પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

 

થરાદ-ડીસા હાઇવે પર બસની ટક્કરથી લાખણીના ચિત્રોડા ગામની આધેડ મહીલાનું મોત નિપજતાં ચકચાર મચી ગઇ હતી.
આ અંગે આગથળા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે નાસી છૂટેલ બસના ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, થરાદ-ડીસા હાઇવે પર શુક્રવારે સવારે નં. GJ-18-Z-2996 ની માણસા ડેપોની બસ પૂરઝડપે થરાદ તરફ આવી રહી હતી.
આ વખતે અગિયાર વાગ્યાના સુમારે લાખણીના ચિત્રોડા ગામની કમીબેન શિવાભાઇ વાલ્મિકી નામની આધેડ અને મજૂરી કામ કરતી મહીલા રોડ ક્રોસ કરતાં તેને બસ ચાલકે બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ કરી અડફેટે લઇને ટક્કર મારી હતી.

 

આથી રોડ પર પટકાવાના કારણે તેણીને ગંભીર ઇજાઓ થતાં કરૂણ અને કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જોકે, બસ ચાલક બસ મૂકીને નાસી છૂટ્યો હતો.

 

આ બનાવને પગલે ટ્રાફીકજામ પણ થયું હતું. આ બનાવની જાણ કરવામાં આવતાં આગથળા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહને પી.એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.
આ અંગે મૃતકના પુત્ર નરસિંહભાઇ શિવાભાઇ વાલ્મિકીએ આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!