ભોગ બનેલા જવાને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી
દાંતીવાડા બી.એસ.એફ.ના જવાને કુરીયર માટે એપડાઉન લોડ કરતાં તેમના ખાતામાંથી રૂ. 1,40,000 ઉપડી ગયા હતા. આ અંગે અજાણ્યા શખ્સો સામે પાલનપુર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, દાંતીવાડા બી.એસ.એફ.ના કોન્સ્ટેબલ બબલુ રામપતી દુબેને અજાણ્યા શખ્સે ડી.ટી.ડી.સી. કુરિયર કંપનીમાંથી બોલુ છું.
તમારૂ કુરિયર સાંજે 7:00 વાગ્યા સુધી પહોંચી જશે તેમ કહી આઇડી નંબર કહ્યો હતો. જે બાદ પાર્સલ કેન્સલ થયું છે તેમ કહી ક્યુઆરએસ કોડ પર રૂ. 2 ભરાવ્યા હતા.
જોકે, થોડીવાર પછી ફરીથી ફોન આવ્યો હતો અને તમારા રૂપિયાનો કોઇ મેસેજ આવ્યો નથી તેમ કહી એક વોટ્સેપ નંબર મોકલ્યો હતો અને તેના પર કસ્ટમર સપોર્ટ નામની એક લીંક ડાઉનલોડ કરાવી હતી.
જોકે, છેતરપિંડી થઇ હોવાની આશંકાએ એપ ડીલીટ કરી દીધી હતી. પરંતુ બેલેન્સ ચેક કરતાં તેમના જૂદા-જૂદા 2 ખાતામાંથી રૂ. 1,40,000 ઉપડી ગયા હતા. આ અંગે તેમણે પાલનપુર સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી.
From-Banaskantha update