સુરત: અશ્વિની કુમાર સ્મશાનનો વાયરલ વીડિયો જોઇને તમને સો ટકા પ્રભાવિત કરશે, અંતિમવિધિ માટે લાંબી કતાર

- Advertisement -
Share

સુરત ફરી એકવખત કોરોનાની જબરદસ્ત અજગરી ભરડામાં ફસાયું છે. મહામારીના એક વર્ષ લાંબા સફર પછી પણ કોરોનાએ સુરતનો પીછો છોડયો નથી. ઊલટું વર્તમાન સમયે પકડ વધુ મજબૂત બનાવી છે. પાલિકાનું આરોગ્ય તંત્ર કોરોના સામેના જંગમાં ઝઝૂમી રહ્યું છે. આ જીવલેણ રોગના પ્રતિદિન જાહેર થતાં સરકારી આંકડાઓ અને શહેરની વાસ્તવિક સ્થિતિમાં જમીન આસમાનનો ફેર હોવાની હકીકત સામે આવી છે.

કોરોનાની સારવારને લઇ શહેરની ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ખીચોખીચ છે. તો હવે સ્મશાનભૂમિ પણ મૃતદેહોથી ભરચક થઇ ચૂકી છે. કોરોનાથી દર્દીઓના મૃત્યુનો સત્તાવાર દૈનિક આંક માત્ર 4થી 5 જાહેર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ શહેરી વિસ્તારની અલગ અલગ સ્મશાન ભૂમિઓમાં પ્રતિદિન કુલ 75થી વધુ દર્દીઓના અંતિમ સંસ્કાર કોવિડ ગાઇડલાઇન મુજબ થઇ રહ્યાં હોવાની અત્યંત ભયંકર સ્થિતિ ઉપસ્થિત છે.

બીજી બાજુ સુરતમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વીડિયો કોઈને પણ પ્રભાવિત કરી શકે છે. આજે સુરતના અશ્વિની કુમાર સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાંબી કતાર લાગી હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. મૃતદેહોની અંતિમવિધિ માટે લાંબી કતારો જોઈને કોઈને પણ ડર બેસી જાય તેમ છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. શહેરમાં પાલિકા તંત્ર દ્વારા અપાતા મોતના આંક અને સ્મશાનગુહના આંકમાં મોટા ફેરફાર સ્મશાન ગૃહ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે.

કોવિડની સારવાર માટે હોસ્પિટલમાં દર્દીઓ કતારમાં બેઠા છે. તો, હવે સ્મશાન ભૂમિઓમાં પણ કોવિડ પ્રોટોકલ મુજબ અંતિમ સંસ્કાર કરવા મૃતદેહોની લાઇન લાગી છે. વિતેલા ત્રણ સપ્તાહથી કોરોનાની સ્થિતિ પુનઃ ભયાવહ થઇ ચૂકી છે. તેમાં પણ છેલ્લા ચાર-પાંચ દિવસથી જાહેર આરોગ્યનો જાણે દાટ વળી ગયો છે. એટલી હદે સ્થિતિ અસામાન્ય થઇ ચૂકી છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન સંખ્યાબંધ લોકોના મૃત્યુ થઇ રહ્યાં છે. તેનો પુરાવો અંતિમધામ કહેવાતી સ્મશાનભૂમિના ચોપડે નોંધાયેલી હકીકત બોલી રહી છે. શહેરની જાણીતી મુખ્ય ત્રણ સ્મશાનભૂમિઓ અશ્વિનીકુમાર, ઉમરા અને જહાંગીરપુરામાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે ડાઘુઓની સૌથી વધુ લાઇન લાગી રહી છે.

અહીં કોવિડ સિવાયના સામાન્ય મૃતદેહોની અંતિમવિધિ કરવા માટે બે કલાક સુધી રાહ જોવાનો વખત આવ્યો છે. અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી પ્રતિદિન સરેરાશ 90થી 100 મૃતદેહો આવી રહ્યાં છે. આ પૈકી અડધોઅડધ ડેડબોડીની કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમક્રિયા કરવામાં આવી રહી છે.

અશ્વનિકુમાર, ઉમરા અને જહાંગીરપુરા સ્મશાનભૂમિમાં અડધોઅડધ ડેડબોડીઓનાં કોવિડ ગાઇડલાઇન મુજબ અંતિમ સંસ્કાર થઇ રહ્યાં છે. નામ નહીં લેવાની શરતે આધારભૂત વર્તુળોના જણાવ્યા મુજબ અશ્વિનીકુમાર, ઉમરા અને જહાંગીરપુરા સ્મશાનભૂમિમાં દૈનિક આવતી સરેરાશ ડેડબોડીની સંખ્યામાં પાંચ દિવસથી એકાએક વધારો નોંધાયો છે. આ પૈકી 50 ટકા ડેડબોડીનો કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમ નિકાલ કરવામાં આવી રહ્યો છે. સૌથી વધુ ભંયકર સ્થિતિ છાપરાભાઠા સ્થિત અશ્વિનીકુમાર સ્મશાનભૂમિમાં નોંધાઇ છે.

શહેરની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે બેડ ખાલી નથી. દર્દીઓને બેડ મળ્યા બાદ સારવારમાં સંજીવની કહેવાતા રેમડેસિવિર અને ટોસિલીઝુમેબ ઇંજેકશન મળશે કે નહીં? તેની ચિંતા સતાવી રહી છે. જેને પગલે સારવારમાં વિલંબ થઇ રહ્યો છે. આટલું ઓછું હોય ત્યાં હવે આ રોગની સારવાર દરમિયાન મૃત્યુ પામનારા કમનસીબ દર્દીઓની અંતિમક્રિયામાં પણ વિલબંત થઇ રહી છે. આને માટે સ્મશાનભૂમિમાં વધતી જતી લાશોનો આંકડો કારણભૂત હોવાનું જણાય રહ્યો છે. છેલ્લા પાંચથી છ દિવસથી શહેરની જાણીતી મુખ્ય ત્રણ સ્મશાનભૂમિમાં શબસૈયા ખાલી નહીં મળતા ડેથબોડીની અંતિમવિધિ માટે કલાકોનું વેઇટિંગ શરૂ થયું છે.

શહેરની ખાનગી હોસ્પિટલોમાં સારવાર દરમિયાન મૃત્યુ પામતા કોરોનાના દર્દીઓની સંખ્યાનું પ્રમાણ ઊંચુ જણાય રહ્યું છે. સ્થિતિ ફરી વિકરાળ બની હોય મૃત્યુ પામનારા દર્દીઓનો કોવિડ ગાઇડલાઇન મુજબ નિકાલ કરવામાં આવી રહ્યો છે. સિટીના વિવિધ વિસ્તારોમાં આવેલી પ્રાઇવેટ હોસ્પિટલોમાં પ્રતિદિન 25થી વધુ કોવિડ દર્દીઓ અંતિમ શ્વાસ લઇ રહ્યા હોવાની ચોંકાવનારી હકીકત જાણવા મળી રહી છે. આ તમામ દર્દીઓનો કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ અંતિમ નિકાલ કરવામાં આવી રહ્યો છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!