યાત્રાધામ અંબાજી ગોલ્ડન ટેમ્પલ તરીકે અગ્રેસર, અનેક માઇભક્તો સોનાનું દાન કરે છે
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં અનેક માઇભક્તો સોનાનું દાન કરી રહ્યા છે. ત્યારે અમદાવાદના એક માઇભક્તે માતાજીને સોનાના મુગટનું દાન કર્યું હતું. માઇભક્તે રૂ. 5,18,000 ની કિંમતનું સોનાનું મુગટ માતાજીને દાન કર્યું હતું.
યાત્રાધામ અંબાજીમાં અનેક ભક્તો દરરોજ માતાજીના દર્શન કરવા આવે છે. જેમાંથી કેટલાંય ભક્તો માતાજીને અનેક વસ્તુઓ દાનમાં આપે છે.
ત્યારે અમદાવાદના એક માઇભક્તે માતાજીને સોનાનો મુગટ દાન કર્યો હતો. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં દાનની સરવાણી અવિરત ચાલુ છે.
યાત્રાધામ અંબાજી ગોલ્ડન ટેમ્પલ તરીકે અગ્રેસર જોવા મળી રહ્યું છે. માઇભકતો દ્વારા સોનાના દાનનો અવિરત પ્રવાહ ચાલુ રાખવામાં આવ્યો છે.
જેમાં અંબાજી મંદિરને એક ભક્ત દ્વારા સોનાનો મુગટ દાનમાં આપવામાં આવ્યો છે. અમદાવાદના માઇ ભક્તે રૂ. 5,18,000 ની કિંમતનું 118.75 ગ્રામ જેટલાં સોનાનું મુગટનું દાન કર્યું હતું. અંબાજી મંદિરમાં અનેક માઇભક્તો સોનાનું દાન કરી રહ્યા છે.
અંબાજી મંદિરમાં અનેક માઇભક્તો સોનાનું દાન કરી રહ્યા છે. અનેક શ્રદ્ધાળુઓની માનતા પુરી થતાં પણ સોનુ ચઢાવી રહ્યા છે. ત્યારે થોડા દિવસો પહેલા લુણાવાડાના માઇભક્તે મા અંબાને સોનાનો મુગટ ભેટ ધર્યો હતો.
પરિવારે માતાજીના દર્શન પૂજા-અર્ચના કરી રૂ.3,48,672 કિંમતનો 72.640 મીલીગ્રામ વજનનો સુવર્ણ મુગટ માતાજીના ચરણમાં ભેટ ધર્યો હતો અને ધન્યતા અનુભવી હતી.
જો કે, માઇભક્તે પોતાનું નામ જાહેર કરવાનો ઇન્કાર કર્યો હતો. મા અંબાના ધામમાં અનેક શ્રદ્ધાળુઓ ગુપ્તદાન પણ કરતાં હોય છે.
યાત્રાધામ અંબાજીમાં સુવર્ણમય શિખરની કામગીરીમાં માઇભક્ત દ્વારા મા અંબાને 500 ગ્રામ સોનુ અર્પણ કરાયું હતું. અંદાજીત રૂ. 24,50,000 નું સોનાનું દાન માઇભક્તે આપ્યું હતું.
સુપ્રસિદ્ધ વિશ્વ વિખ્યાત અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની એક નેમ છે જેની કામગીરી થઇ રહી છે. અનેક માઇભક્તો સોનાનું દાન કરી રહ્યા છે. ત્યારે અમદાવાદના નવનીતભાઇ શાહ નામના માઇભક્તે 500 ગ્રામ સોનાનું દાન કર્યું હતું.
From-Banaskantha update