ડાયવર્ઝનના કારણે વાહનચાલકો આડેધડ વાહનો લઇ ઘૂસી જતાં ટ્રાફીકજામના દ્રશ્યો સામે આવ્યા હતા
પાલનપુર-આબુ નેશનલ હાઇવે પર કામગીરી શરૂ કરાઇ છે. જેને લઇ ડાયવર્જન આપવામાં આવ્યું હતું. જોકે, ડાયવર્જનના કારણે સાંઇબાબા મંદિર નજીક શુક્રવારે હાઇવે પર ટ્રાફીકજામના દૃશ્યો સામે આવ્યા
હતા. કલાકો સુધી વાહનચાલકો ફસાયા હતા. જેથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર આબુરોડ નેશનલ હાઇવે ઉપર રોડની કામગીરીને લઇ સાંઇબાબા મંદિર નજીક ડાયવર્ઝન આપવામાં આવેલું છે.
જેમાં ડાયવર્ઝનના કારણે વાહનચાલકો આડેધડ વાહનો લઇ ઘૂસી જતાં ટ્રાફીકના દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં ટ્રાફીક સર્જાતાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘ડાયવર્ઝન આપવાના કારણે સિંગલ રોડમાં બંને બાજુથી વાહનો આવતાં હોય છે. ત્યારે કેટલાંક વાહનચાલકો ઓવરટેક કરવાના કારણે ટ્રાફીક સર્જાઇ છે. કલાકો સુધી વાહનો ટ્રાફીકમાં ફસાયા હતા. જેથી વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે.’
From-Banaskantha update