અમીરગઢમાં બંધ મકાનમાંથી દાગીના તેમજ રોકડ મળી 5 લાખથી વધુના મુદ્દામાલની ચોરી

- Advertisement -
Share

અમીરગઢના બાલુન્દ્રા ગામે એક પરિવાર સંબંધીને લઈ પાલનપુર દવાખાને ગયો હતો. ત્યારે અજાણ્યા ઈસમોએ રાત્રી દરમિયાન ઘરમાં ઘૂસી હાથ સાફ કર્યો હોવાની ઘટના સામે આવી છે. પરિવારના સંબંધીને તબિયત સુધરતા પરત ઘરે પહોંચતા ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યુ હતું.
તેમજ ઘરમાંથી રોકડ રકમ, સોના ચાંદીના દાગીના મળી 5 લાખથી વધુના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડતા પરિવારે અમીરગઢ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના બાલુન્દ્રા ગામે એક શિક્ષકના ઘરમાં ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે. શિક્ષક દિનેશભાઈ મકવાણા પોતાના ભાઈ શિવરામભાઈ બીમાર હોવાના કારણે શિક્ષક દિનેશભાઈ પોતાની ગાડી લઈને શિવરામભાઈના પત્ની મધુબેન સહિત પરિવારજનો સાથે સારવાર માટે પાલનપુર લઈ ગયા હતા.

પાલનપુરમાં ખાનગી હોસ્પિટલમાં શિવરામભાઈની સારવાર કરાવી એની તબિયતમાં સુધારો થતા તેમને પરત ઇકબાલગઢ હોસ્પિટલમાં લાવ્યા હતા. જેથી હોસ્પિટલમાં તેમના પત્ની અને તેમને મૂકી દિનેશભાઈ પોતાના પરિવારને લઇ પરત ઘરે પહોંચ્યા હતા.
ઘરે પહોંચતા જ ઘરના દરવાજા ખુલી અંદર તપાસ કરતાં માલ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. દિનેશભાઈએ પોતાના રૂમમાં તિજોરી તથા કબાટ ખુલ્લા પડેલા જોતા સોના-ચાંદીના સહિત રોકડ રકમ જોવા મળી ન હતી. જેથી તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
અમીરગઢ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી દિનેશભાઇના ઘરમાં તપાસ કરતાં કુલ 15 જેટલી સોના-ચાંદીની આઈટમો જેની કિંમત અંદાજે 2 લાખ 35 હજાર 500 અને રોકડ રકમ 3 લાખ મળી કુલ મુદ્દામાલ 5 લાખ 35 હજાર 500 રૂપિયાની ચોરી થઈ હતી. જેથી પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!