ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા 500 જેટલાં રોપાઓનું વાવેતર કરાયું
દાંતીવાડા 93 બી.એસ.એફ. બટાલિયન દ્વારા શનિવારે કુડા ગામમાં વૃક્ષારોપણ અને ઝઝામ માધ્યમિક શાળામાં ફોટો પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા 500 જેટલાં રોપાઓનું વાવેતર કરાયું હતું.
દાંતીવાડા 93 બી.એસ.એફ. બટાલિયન દ્વારા શનિવારે બનાસકાંઠા જીલ્લાના કુડા ગામમાં વૃક્ષારોપણ અને સાંતલપુર તાલુકાના ઝઝામ માધ્યમિક શાળામાં ફોટો પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
વૃક્ષારોપણ કાર્યક્રમમાં કંપની કમાન્ડર રાજેશકુમાર મોર્ય, આચાર્ય વિનોદભાઇ ચૌધરી સહીત ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા 500 જેટલાં રોપાઓનું વાવેતર કરાયું હતું.
ઝઝામ માધ્યમિક શાળામાં યોજાયેલ ફોટો પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના આચાર્ય ચિલ્કા ચૌધરી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહીત 93 બી.એસ.એફ. બટાલિયનના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
From-Banaskantha update