મોદીના અંબાજી પ્રવાસથી પરેશાન થાય છે પરીક્ષા વચ્ચે કોલેજના વિદ્યાર્થીઓ, કાર્યક્રમમાં બસો ફાળવતા સામન્ય પ્રજાને હેરાનગતિ

- Advertisement -
Share

અંબાજીમાં 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનના કાર્યક્રમમાં લોકોને એકઠા કરવા બસો ફાળવતા થરાદ તાલુકાના કેટલાક ગામોમાં રૂટ બંધ કરાયા છે. ત્યારે હાલમાં કોલેજના વિદ્યાર્થીઓને પરીક્ષા ચાલતી હોવાથી તેમજ વિદ્યાર્થી પાસ કઢાવેલ હોવાથી સવારમાં વહેલા બસની રાહ જોવા સ્ટેન્ડમાં આવી જાય છે.

 

ત્યારે થરાદ-ધાનેરા બસ અને ધાનેરા-થરાદ આ બંને બસોમાં આવતા વિદ્યાર્થીઓ અને કાયમી અપડાઉન કરતા મુસાફરો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે.
ત્યારે કોલેજના વિદ્યાર્થી તેજસ પ્રજાપતિ, ચંદુભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ ચૌધરી તેમજ વિદ્યાર્થીની સવિતા ચૌધરીએ જણાવ્યું હતું કે ‘પરીક્ષાના ટાઈમે જ બસ ના આવતી હોવાથી વિદ્યાર્થી પાસ હોવા છતાં અમારે પ્રાઇવેટ વાહનમાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે અને ખાનગી વાહનમાં જવું પડતું હોવાથી ડબલ ભાડા થાય છે તો આ સવારની બસ રેગ્યુલર ચાલું રાખવી જોઈએ.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!