અંબાજીમાં 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનના કાર્યક્રમમાં લોકોને એકઠા કરવા બસો ફાળવતા થરાદ તાલુકાના કેટલાક ગામોમાં રૂટ બંધ કરાયા છે. ત્યારે હાલમાં કોલેજના વિદ્યાર્થીઓને પરીક્ષા ચાલતી હોવાથી તેમજ વિદ્યાર્થી પાસ કઢાવેલ હોવાથી સવારમાં વહેલા બસની રાહ જોવા સ્ટેન્ડમાં આવી જાય છે.
ત્યારે થરાદ-ધાનેરા બસ અને ધાનેરા-થરાદ આ બંને બસોમાં આવતા વિદ્યાર્થીઓ અને કાયમી અપડાઉન કરતા મુસાફરો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે.
ત્યારે કોલેજના વિદ્યાર્થી તેજસ પ્રજાપતિ, ચંદુભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ ચૌધરી તેમજ વિદ્યાર્થીની સવિતા ચૌધરીએ જણાવ્યું હતું કે ‘પરીક્ષાના ટાઈમે જ બસ ના આવતી હોવાથી વિદ્યાર્થી પાસ હોવા છતાં અમારે પ્રાઇવેટ વાહનમાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે અને ખાનગી વાહનમાં જવું પડતું હોવાથી ડબલ ભાડા થાય છે તો આ સવારની બસ રેગ્યુલર ચાલું રાખવી જોઈએ.
From – Banaskantha Update