ડીસા શાકમાર્કેટના અગ્રણી વેપારીની સ્વર્ગસ્થ સુપુત્રની પુણ્યસ્મૃતિમાં શિતળધારા ખુલ્લી મૂકાઈ

Share

 

ડીસાની વિ.જે.પટેલ શાકભાજી માર્કેટયાર્ડમાં ખેતુ ટ્રેડીંગના વેપારી રૂપાજી ગીરધારજી પરમાર (માળી) ના લાડકવાયા સુપુત્ર ખેતુભાઇ રૂપાજી પરમાર (માળી) નું થોડા દિવસ અગાઉ આકસ્મિક દુઃખદ અવસાન થયું હતું.

 

 

જેમની પુણ્યસ્મૃતિમાં શુક્રવારે વિ.જે. પટેલ શાકભાજી માર્કેટયાર્ડના વેપારી રૂપાજી ગીરધારજી પરમાર (માળી) તરફથી ઠંડા પાણીની પરબને અર્પણ કરતાં ડીસા A.P.M.C. ના ચેરમેન માવજીભાઇ મગનભાઇ દેસાઇના વરદ્દ હસ્તે મંત્રોચ્ચાર સાથે રીબીન કાપી ખુલ્લી મૂકાઇ છે.

 

 

જ્યારે એકના એક લાડકવાયા ભાઇને શ્રદ્વાસુમન અર્પણ કરવા કાજલબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

 

 

આ પ્રસંગે ડીસા ભણશાળી ટ્રસ્ટના મહેશભાઇ, શાકભાજી માર્કેટ એસોસીએશનના પ્રમુખ કમલેશભાઇ એલ. પઢિયાર, સેક્રેટરી અમૃતભાઇ એન. જોષી, ડીસા શહેર ભાજપના મહામંત્રી હકમાજી જોષી, પ્રકાશભાઇ ગેલોત (ભજનીક),

 

 

 

વેપારી-અગ્રણીઓ નરેશભાઇ ઠરીયાની, રાજુભાઇ માળી, પ્રવિણભાઇ માળી, શંકરલાલ માળી અને તમામ વેપારી મિત્રો અને મુનીમભાઇઓ સહીત ઉપસ્થિત રહી સદ્દગત આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાળ્યું હતું.

 

 

 

 

From-Banaskantha update

 

 

 


Share