દૂધમાં નવો ભાવ તા. 1 ઓકટોબરથી લાગુ પડશે
નડાબેટમાં જી.સી.એમ.એમ.એફ. દ્વારા દૂધ દિન કાર્યક્રમમાં બુધવારે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ પશુપાલકોને અપાતાં દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 30 નો વધારો આપવાની જાહેરાત કરી છે.
નવો ભાવ તા. 1 ઓકટોબરથી લાગુ પડશે. મોટી સંખ્યામાં બહેનો અને ભાઇઓ આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. પશુપાલકોને શંકરભાઇ ચૌધરીએ ત્રીજા નોરતે ભેટ આપતાં પશુપાલકોમાં ખુશીની લહેર પ્રસરી છે.
એશિયાની સૌથી મોટી બનાસ ડેરી આગામી તા. 1 ઓકટોબરથી પ્રતિકિલો ફેટે રૂ. 30 નો વધારો આપવાનો નિર્ણય કર્યો છે.
બનાસકાંઠા જીલ્લાના સરહદી પંથકના સૂઇગામ નડાબેટ નડેશ્વરી માતાજીના મંદિરે બુધવારે જી.સી.એમ.એમ.એફ. દ્વારા દૂધ દિન કાર્યક્રમ યોજાયો હતો.
મોટી સંખ્યામાં પશુપાલક બહેનો અને ભાઇઓ નડેશ્વરી માતાજીના સાનિધ્યમાં ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધન કરતાં શંકરભાઇ ચૌધરીએ પશુપાલકોને અપાતાં દૂધના ભાવમાં વધારો કરતાં પશુપાલકોમાં ખુશીની માહોલ છવાયો હતો.
આ અંગે સભાને સંબોધન કરતાં શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘નવરાત્રીનો ત્રીજો દિવસ છે. બુધવારે નડેશ્વરી માતાજીના આંગણે આવ્યો છું.
હજારોની સંખ્યામાં માતાઓ, બહેનો અને વડીલો આવ્યા છે. ત્યારે બનાસ ડેરીએ તા. 1 ઓકટોબરથી દૂધના ભાવમાં રૂ. 30 નો કિલો ફેટે વધારવાનો નિર્ણય કર્યોં છે.’
From-Banaskantha update