ભટ્ટજી મહારાજ દ્વારા તેમને રક્ષા પોટલી બાંધી માતાજીનો પ્રસાદ આપ્યો
લાખો, કરોડો લોકોનો આસ્થાનું કેન્દ્ર ગણાતું માં જગતજનની અંબાનું ધામ અંબાજી વિશ્વભરમાં વિખ્યાત છે. માં અંબાના દર્શન માટે લાખોની સંખ્યામાં માઇ ભક્તો અંબાજી આવી માતાજીના ચરણોમાં શિશ નમાવે છે.
યાત્રાધામ અંબાજીમાં નેતા, અભિનેતા અને વી.આઇ.પી. દરેક માં અંબાના દર્શન કરવા અંબાજી આવતાં હોય છે. શનિવારે ટી.વી. ના સુપરહીટ કાર્યક્રમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારો માં જગતજનની અંબાના નીજ મંદિરે પહોંચ્યા હતા. માં અંબાના મંદિરે પહોંચી માતાજીના આશિર્વાદ મેળવ્યા હતા.
મંદિરના ગર્ભગૃહમાં માતાજીના ચરણોમાં શિશ નમાવ્યું હતું. પૂજારી દ્વારા તેમને તિલક કરી માતાજીની ચૂંદડી આપી આશિર્વાદ આપ્યા હતા. ત્યારબાદ તારક મહેતાની ટીમે અંબાજી મંદિરના ગાદી ઉપર ભટ્ટજી મહારાજના આશિર્વાદ મેળવ્યા હતા. ભટ્ટજી મહારાજ દ્વારા તેમને રક્ષા પોટલી બાંધી માતાજીનો પ્રસાદ આપ્યો હતો.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારો શનિવારે અંબાજી ધામે પહોંચી માં અંબાના આશિર્વાદ મેળવ્યા હતા અને દેશના વડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે તેમને શુભકામનાઓ પાઠવી હતી.
From-Banaskantha update